રિજીયોનલ સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશન વર્કશોપ તૈયારીઓની સમીક્ષા કરતા કલેકટર એન.વી ઉપાધ્યાય, સાગર દર્શન ખાતે પ્રત્યક્ષ મુલાકાત લઈ તૈયારીઓ અંગે માર્ગદર્શન આપ્યું
ગીર સોમનાથ 31 મે (હિ.સ.) ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (જી.આર.આઈ.ટી) દ્વારા રિજિયોનલ માસ્ટર પ્લાનના પ્રિપરેશન માટે રિજીયોનલ સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશન વર્કશોપનું આયોજન સાગર દર્શન હોલ , સોમનાથ ખાતે કરાયું છે. કલેકટર એન.વી ઉપાધ્યાયે, આજ
વર્કશોપનું આયોજન સાગર દર્શન હોલ , સોમનાથ ખાતે કરાયું છે.


ગીર સોમનાથ 31 મે (હિ.સ.) ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (જી.આર.આઈ.ટી) દ્વારા રિજિયોનલ માસ્ટર પ્લાનના પ્રિપરેશન માટે રિજીયોનલ સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશન વર્કશોપનું આયોજન સાગર દર્શન હોલ , સોમનાથ ખાતે કરાયું છે.

કલેકટર એન.વી ઉપાધ્યાયે, આજે સ્થળની પ્રત્યક્ષ મુલાકાત લઇ અને તૈયારીઓની સમીક્ષા કરી હતી.

કલેકટરએ સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશન વર્કશોપમાં ભાગ લેવા આવતા જૂનાગઢ, સોમનાથ, પોરબંદર અને દ્વારકાના તમામ મહાનુભાવોના રજીસ્ટ્રેશનથી લઈ અને ચર્ચાસત્ર દરમિયાનના આયોજનની સંલગ્ન વિભાગો પાસેથી ઝીણવટભરી માહિતી મેળવી હતી.

ઉલ્લેખનીય છે કે, રિજીયોનલ સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશન વર્કશોપમાં ચાર જિલ્લાઓના અલગ અલગ ઉદ્યોગોના પ્રતિનિધિઓ, ચેમ્બર ઓફ કોમર્સ, વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સહિતના સ્ટેકહોલ્ડર્સ ભાગ લઈ રિજિયોનલ વિકાસ કઈ રીતે કરી શકાય તેનું મનોમંથન કરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande