સુરત, 31 મે (હિ.સ.)-સુરતના દિનોદ ગામના પટેલ પરિવારે માનવતાને શરમાવે તેવો ઉદાહરણ પુરૂ પાડ્યો છે. 20 મે, 2025ના રોજ પવન પટેલના લગ્ન થયાં પછી સમગ્ર પરિવાર 22 મેના રોજ અજમેર દર્શને નીકળ્યો હતો. 23 મેના રોજ ઉદયપુર નજીક રીથભદેવ-કાલાજી મંદિર પાસે માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં પવન પટેલ (ઉ.વ. 26), તેમની બહેન નયનાબેન અને માતા કુસુમબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પવન અને નયનાબેનનું સ્થળ પરજ અવસાન થયું, જ્યારે કુસુમબેનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
તબીબોની ટીમે બ્રેઈન હેમરેજ નિદાન કર્યા બાદ કુસુમબેન પટેલ (ઉ.વ. 51)ને બ્રેઈન ડેડ જાહેર કર્યા. તેમના પરિવારજનો દ્વારા ઉત્કૃષ્ટ માનવીય સંકલ્પ સાથે તેમના અંગો દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. SOTTOના સહયોગથી કિડની, લિવર અને આંખોનું દાન કરવામાં આવ્યું. બંને કિડની સુરતના દર્દીઓને આપવામાં આવી, જ્યારે લિવર મુંબઈના 68 વર્ષીય દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. ચક્ષુનું દાન પણ જરૂરિયાતમંદ દર્દી માટે સુરત ખાતે જ ઉપયોગમાં લેવાયું.
આ સમગ્ર કાર્યડોર ડોનેટ લાઈફના નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ સંભવ બન્યો હતો. ડૉ. કલ્પેશ ગોહિલ, ડૉ. ધર્મેશ ધનાણી, અને અન્ય તબીબોની ટીમે સક્રિય ભૂમિકા નિભાવી. પરિવારના પિતા ભરતભાઈ પટેલ સહિત તમામ સગાં-સંબંધી અને ડોનેટ લાઈફના સેવાભાવી કાર્યકરોના સહકારથી આ અવસરમાં અનેક જીવન બચાવાયા.
સ્વ. કુસુમબેનના આ દાનને કારણે ત્રણ જિંદગીઓમાં નવી ઉજાસ ભરી છે – જે સમાજ માટે આશા અને સંવેદનાનું સચોટ પ્રતિબિંબ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે