અંબાજી,31મે
(હિ. સ)શક્તિ
પીઠ અંબાજી ગામમાં સફાઈ અભિયાનની સાથે સાથે દુકાનદારો અને સ્થાનિક ગ્રામજનોને
માતાજીના ધામને પ્લાસ્ટિક મુક્ત કરી સ્વચ્છ અને સુઘડ રાખવા કુમકુમ તિલક કરી
ગુલાબનું ફુલ આપીને યાત્રાધામ અંબાજીને સ્વચ્છ રાખવાનો સંકલ્પ કરાવવામાં આવ્યો.
માતાજીના ધામને સ્વચ્છ અને પવિત્ર રાખવાનો નિર્ધાર કરાવવામાં આવ્યો. આગામી સમયમાં
યાત્રાધામ અંબાજીને સ્વચ્છ રાખવા માટે દંડની કાર્યવાહી અમલમાં મુકવામાં આવનાર છે.
આજ આ કાર્યક્રમમાં અંબાજી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, અંબાજીના મુખ્ય કારોબારી અધિકારીકૌશિક મોદીની આગેવાની હેઠળમાં
કરવામાં આવ્યો. આ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં અંબાજી વિસ્તાર વિકાસ અને પ્રવાસન
નિયમન સત્તામંડળ, અંબાજીનો
સ્ટાફ, અંબાજી
ગ્રામ પંચાયત સ્ટાફ તથા અંબાજી મંદિર સ્ટાફ હાજર રહેલ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ