પાલનપોર લેક ગાર્ડનમાં લાઈટ બંધ રહેતા અસામાજિક તત્વોનો આતંક
સુરત, 1 જૂન (હિ.સ.)-સુરતના પાલનપોર વિસ્તારમાં આવેલ લેક ગાર્ડનમાં રાત્રિના સમયે લાઈટો બંધ રહેતી હોવાના કારણે સ્થાનિક નાગરિકો અને મુલાકાતીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અંધારપટને કારણે ગાર્ડનને અસામાજિક તત્વો માટે ઠેકાણું બનાવી દેવામાં આવ્યું છે. મુલ
Surat


સુરત, 1 જૂન (હિ.સ.)-સુરતના પાલનપોર વિસ્તારમાં આવેલ લેક ગાર્ડનમાં રાત્રિના સમયે લાઈટો બંધ રહેતી હોવાના કારણે સ્થાનિક નાગરિકો અને મુલાકાતીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અંધારપટને કારણે ગાર્ડનને અસામાજિક તત્વો માટે ઠેકાણું બનાવી દેવામાં આવ્યું છે. મુલાકાતીઓના કહેવા અનુસાર, રોજિંદા મુલાકાતો દરમ્યાન નશો કરનારાઓ, શંકાસ્પદ પ્રવૃત્તિઓ અને ગોરખધંધા કરતા તત્વો ગાર્ડન વિસ્તારનો ઉપયોગ કરી રહ્યા છે.

આ મામલે અનેક વખત સુરત મહાનગર પાલિકામાં ફરિયાદો નોંધાવવામાં આવી છે, તેમ છતાં સમસ્યાનું યોગ્ય નિવારણ કરવામાં ન આવ્યું હોવાનું જણાઈ રહ્યું છે. લોકો મોર્નિંગ અને ઇવનિંગ વોક માટે આ ગાર્ડનમાં આવે છે, પરંતુ અંધારાને કારણે તેમને ફિસલવાનો ડર રહે છે તેમજ તેઓ પોતાને અસુરક્ષિત અનુભવે છે.

વિશેષત્વે, મુખ્ય ટાવર સહિત ગાર્ડનના અનેક વિસ્તારોમાં લાઈટો કાયમી રીતે બંધ જોવા મળતી હોવાના કારણે નાગરિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. પાલિકા દ્વારા આ બાજુ કોઈ પગલાં નહીં લેવાય તો, સ્થાનિકોમાં આક્રોશ વધી શકે છે અને કોઈ અનિચ્છનીય ઘટના બને તે પૂર્વાનુમાન પણ નકારી શકાય તેમ નથી.

લોકોએ પાલિકા તંત્રને તાત્કાલિક ગાર્ડનની લાઈટો દુરસ્ત કરવા અને સુરક્ષા વ્યવસ્થામાં સુધારો લાવવાની માંગ ઉઠાવી છે, જેથી લેક ગાર્ડન ફરીથી પરિવાર માટે સુરક્ષિત અને આરામદાયક સ્થળ બની શકે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande