જુનાગઢ ભેંસાણ તાલુકાના રાણપુર ગામ ખાતે મતદાન કરવા અંગે પ્રતિજ્ઞા લેવામાં આવી
જુનાગઢ 1 જૂન (હિ.સ.) ૮૭- વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે આગામી તારીખ ૧૯-૦૬-૨૦૨૫ ના રોજ મતદાન થનાર છે. ત્યારે ભેંસાણ તાલુકાના રાણપુર ગામ ખાતે ગ્રામજનો, આચાર્ય અને શિક્ષકો દ્વારા મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર
જૂનાગઢ જિલ્લામાં ભેસાણ


જુનાગઢ 1 જૂન (હિ.સ.) ૮૭- વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે આગામી તારીખ ૧૯-૦૬-૨૦૨૫ ના રોજ મતદાન થનાર છે. ત્યારે ભેંસાણ તાલુકાના રાણપુર ગામ ખાતે ગ્રામજનો, આચાર્ય અને શિક્ષકો દ્વારા મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી માટે જરૂરી પૂર્વ તૈયારીઓ અને કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ૧૯ જૂનના રોજ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનું ચૂકે નહીં એ માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande