જુનાગઢ 1 જૂન (હિ.સ.) ઓપરેશન શિલ્ડ અંતર્ગત કેશોદમાં આવેલાં એરપોર્ટ ખાતે પોલીસ, ફાયર, હેલ્થ, ૧૦૮, મહેસુલ વિભાગ સહિતની સરકારી એજન્સીઓના સુચારું સંકલન સાથે સફળતાપૂર્વક મોકડ્રીલ યોજાઈ હતી. આ સમગ્ર કવાયત કેશોદના પ્રાત અધિકારી વંદના મીણા અને કેશોદ પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક બી સી ઠકકર ના માર્ગદર્શન અને દેખરેખ માં સંપન્ન થઈ હતી. પૂર્વ નિર્ધારિત પરિસ્થિતિ મુજબ કેશોદમાં આવેલાં એરપોર્ટ ખાતે હવાઈ હુમલાની પરિસ્થિતિ નિર્માણ કરવામાં આવી હતી.
આ હુમલાની સંબંધિત એજન્સીઓને જાણ કરતા, ત્વરીત રાહત બચાવ માટે, પોલીસ ઉપરાંત ખાસ ફાયર ફાઇટર ટીમ અને ઘાયલોની સારવાર માટે સ્થાનિક એમ્બ્યુલન્સ પહોંચી હતી અને ઘાયલોને 108 સહિતની સેવાઓ દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. જેમાં પોલીસ, આર્મીના જવાનો, હોમગાર્ડ વગેરે એજન્સીઓએ સુપેરે જવાબદારી નિભાવી હતી. સરકાર દ્વારા આ પ્રકારની મોકડ્રીલનો હેતુ આપત્તિની સ્થિતિમાં રાહત-બચાવની માટેની વ્યવસ્થાને વધુ પુખ્તા બનાવવાની સાથે, આપત્તિની સ્થિતિમાં શું કરવું ? અને શું ન કરવું ? તેનો ખ્યાલ મળી રહે છે. મોકડ્રીલમાં સામેલ જુદી જુદી સરકારી એજન્સી ઓનો રિસ્પોન્સ ટાઈમ નોંધવામાં આવે છે, અને ફીડબેકના આધારે તેની સમીક્ષાઓ પણ કરવામાં આવે છે. જેથી વ્યવસ્થા ઓને વધુ સુદ્રઢ કરી શકાય. આ મોકડ્રીલમાં ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે પોલીસ, હેલ્થ, ફાયર ફાઈટર, નગરપાલિકા ની ટીમ, હોમગાર્ડસ સહિતની સરકારી એજન્સીઓએ ત્વરિત રાહત બચાવની કામગીરી કરી હતી. આ મોકડ્રીલ દરમિયાન પ્રાંત અધિકારી વંદના મીણા પોલીસ અધિક્ષક બી સી ઠકકર મામલતદાર સંદીપ મહેતા પોલીસ ઈન્સપેકટર પી એ જાદવ સહિત જુદા જુદા વિભાગના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા. કેશોદ એરપોર્ટ ખાતે વીસેક લોકો ઈજાગ્રસ્ત હાલતમાં એરપોર્ટ પર પ્રાથમિક સારવાર આપી ગંભીર ઈજાગ્રસ્ત દર્દીઓ ને કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા ત્યારે સામાન્ય ઈજાગ્રસ્ત દર્દીઓ ને પાનદેવ સમાજ ખાતે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી સારવાર આપવામાં આવી હતી. કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ૧૦૮ તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે દર્દીઓ ને લાવવામાં આવતાં અને મેડીકલ સ્ટાફ પેરામેડિકલ સ્ટાફ માસ્ક પહેરીને એપ્રોન સાથે દોડાદોડી કરતાં નજરે પડતાં લોકોમાં કૌતુક સર્જાયું હતું. કેશોદમાં પુર્વ નિર્ધારિત મોકડ્રીલ શાંતિપૂર્ણ માહોલમાં પુર્ણ થતાં તંત્રએ હાશકારો લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ