પોરબંદર, 14 જૂન (હિ.સ.)રાણાવાવ તાલુકાના બારવાણા નેશ વિસ્તારમાં વીજ શોક લાગવાથી યુવાનનુ મોત થતા ભારે ગમગીની છવાઈ ગઈ હતી બારણવાણા નેશ ખાતે રહેતા મેસુર ભુરાભાઈ મોરી (ઉ.વ 35) નામનો યુવાન ઈલેકટ્રીક મોટરમા પાણીની પાઇપ લાઈનની મદદથી મકાનમા પાણી છાંટી રહ્યો હતો તે દરમ્યાન યુવાનને જોરદાર વીજશોક લાગતા મોત થયુ હતુ આ બનાવને લઈ ભારે ગમગીની છવાઈ હતી
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya