અંબાજી,14જુન
(હિ. સ) અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ ની ઘટનામાં 241
જેટલા મુસાફરોના મોત નિપજ્યા
હતા જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી ને માં અંબાના પરમ ભક્ત હતા
અને અવારનવાર અંબાજી દર્શનાર્થે પરિવાર સાથે આવતા હતા જયારે આ ઘટનામાં દાંતા સાથે
બનાસકાંઠાના પણ કેટલાક મુસાફરોનો આ ઘટનામાં મોત નિપજ્યા છે ત્યારે આજે શક્તિપીઠ
અંબાજી મંદિરમાં યજ્ઞ ને કર્મકાંડ કરતા બ્રાહ્મણોએ પણ ભારે દુઃખની લાગણી સાથે
ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને દિવંગત આત્મા ને શાંતિ મળે અને પ્રભુ ના ચરણો માં
વાસ મળે તે માટે હોમહવન ઇત્યાદિ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી જ્યાં પ્લેન ક્રેશ થઈને
પડ્યું તેવામાં જે લોકો ઈજાગ્રસ્ત બન્યા છે તે લોકો જલ્દીથી સાજા થાય તે માટે માં
અંબાને પ્રાર્થના કરી માતાજી ના ચાચરચોકમાં દિવંગત આત્માંઓ માટે મંત્રોચાર કર્યા
હતા
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ