કોડીનાર-ઉના નેશનલ હાઈવે પર ચાલી રહેલા ડિમોલેશન મુદ્દે સ્થાનિક ખેડૂતો એ વાંધો ઉઠાવતા વિવાદ સર્જાયો
ગીર સોમનાથ 14 જૂન (હિ.સ.) દેવળી (દેદાજી) ગામના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવીને ડિમોલેશનની કામગીરી તાત્કાલિક અટકાવવા માંગ કરી છે. ખેડૂતોએ પ્રાંત અધિકારીના વર્તન સામે પણ ગંભીર આક્ષેપો કર્યા છે. કોડીનાર તાલુકાના દેવળી (દેદાજી) ગામના ખેડૂતો માટે અત
ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર


ગીર સોમનાથ 14 જૂન (હિ.સ.) દેવળી (દેદાજી) ગામના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવીને ડિમોલેશનની કામગીરી તાત્કાલિક અટકાવવા માંગ કરી છે. ખેડૂતોએ પ્રાંત અધિકારીના વર્તન સામે પણ ગંભીર આક્ષેપો કર્યા છે.

કોડીનાર તાલુકાના દેવળી (દેદાજી) ગામના ખેડૂતો માટે અત્યારે એક મુશ્કેલ પરિસ્થિતિ ઉભી થઈ છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણ બાદ ચાલી રહેલ ડિમોલેશનની કામગીરી સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ઉનાના નાયબ કલેક્ટર દ્વારા અગાઉ આપવામાં આવેલી લેખિત અને મૌખિક બાંહેધરીનો ભંગ કરીને આ ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે.આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, દેવળી ગામની સીમમાં હાઇવે રોડ બનાવતી વખતે ખેડૂતોને ખાતરી આપવામાં આવી હતી કે ૧૫-૧૫ મીટરની ત્રિજ્યામાં રોડ બન્યા પછી તેમની વધારાની જમીનની જરૂર રહેશે નહીં. પરંતુ, ૧૨ જૂન, ૨૦૨૫ના રોજ, પ્રાંત અધિકારી દ્વારા અચાનક ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું.ખેડૂતોએ પ્રાંત અધિકારીના વર્તન સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે, પ્રાંત અધિકારીનું વર્તન એક અધિકારીને છાજે તેવું નહોતું, તેમની ભાષા અભદ્ર હતી અને તેમનું વર્તન અશોભનીય, ઉગ્ર તથા વિસ્તારની શાંતિ હણનારૂ હતું. આ ઘટનાને કારણે ખેડૂતોમાં આજે પણ આક્રોશ અને અજંપાભરી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે.

ખેડૂતોએ મામલતદારને તાત્કાલિક ડિમોલેશનની કામગીરી બંધ કરવા વિનંતી કરી છે. તેમણે ચેતવણી પણ આપી છે કે જો આ કામગીરી બંધ નહીં થાય અને કોઈ અનિચ્છનીય ઘટના બનશે, જાનહાનિ કે માલહાનિ થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી પ્રાંત અધિકારી અને તંત્રની રહેશે.આ આવેદનપત્ર દેવળી ગામના તમામ ખેડૂતો વતી સુપરત કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે આ મુદ્દે ખેડૂતોમાં વ્યાપક રોષ છે. હવે જોવું રહ્યું કે આ મામલે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે અને ખેડૂતોને ન્યાય મળે છે કે કેમ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande