ગીર સોમનાથ 14 જૂન (હિ.સ.) વેરાવળ રેન્જ હેઠળ ના સુત્રાપાડા રાઉન્ડ ની પ્રાચી બીટ ના લાખાપરા ગામે તા.3/૬/૨૫.ના માનવ મૃત્યુ ની ઘટના બનેલ હતી જેમાં દીપડા ને પકડવા અલગ અલગ જગ્યા એ 10 પાંજરા ગોઠવવામાં આવેલ હતા.તેમાં માનવ મૃત્યુ ના સ્થળે થી આજરોજ તા.14/6/25.ના સવારે 4 વાગ્યે માનવ મૃત્યુ વાળો દીપડો નર જીવ -૧, ઉ. વ.5 થી 9.ને આજરોજ 12 માં દિવસે પકડી એનિમલ કૅર સેન્ટર ખાતે મોકલી આપવામાં આવેલ છે.કાર્યવાહી કરનાર સ્ટાફ:- મે.d.cf ..અક્ષય જોષી સાહેબ ની સૂચના થી a.c.f. એસ.આર .પ્રજાપતિ,ના માર્ગદર્શન નીચે.r.f.o. વેરાવળ, કે.ડી.પંપાણીયા,તથા વેરાવળ રેન્જ નો તમામ સ્ટાફ તથા વેટનરિ ડોક્ટર અમરાપુરની ટીમ તથા સાસણ ટ્રેકર ટીમ દ્વારા ઓપરેશન પર પાડવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ