ગીર સોમનાથ 14 જૂન (હિ.સ.) માળીયા ની મેઘલ સ્કૂલ ઓફ નર્સિંગમાં અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટના મૃત્યુ પામેલા તમામ મુસાફરોના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે કેન્ડલ માર્ચ કરી પાંચ મિનિટનું મૌન સાથે શ્રદ્ધાંજલિ આપી અને જે લોકો આ દુરર્ઘટનામાં ઈજાગ્રત થયા તેમને સારું થાય એવી પણ પ્રભુ પાસે પ્રાર્થના કરાઈ હતી.
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સ્કૂલના સંચાલક અલ્પેશભાઈ પરમાર ધર્મેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ વીખાબેન આશાબેન પાયલબેન સહિત સ્ટાફ જોડાયેલો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ