'નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ' અંતર્ગત વિસ્તરણ કાર્યકરો માટે કૃષિલક્ષી તાલીમ યોજાઈ
અમદાવાદ, 14 જૂન (હિ.સ.) : અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેની અધ્યક્ષતામાં અમદાવાદના ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા પ્રાકૃતિક કૃષિના ''નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ'' અંતર્ગત વિસ્તરણ કાર્યકરો માટે કૃષિલક્ષી
અમદાવાદના ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે કાર્યક્રમ યોજાયો


અમદાવાદના ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે કાર્યક્રમ યોજાયો


અમદાવાદ, 14 જૂન (હિ.સ.) : અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેની અધ્યક્ષતામાં અમદાવાદના ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા પ્રાકૃતિક કૃષિના 'નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ' અંતર્ગત વિસ્તરણ કાર્યકરો માટે કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ યોજાઈ હતી.

ઉપરોક્ત તાલીમમાં અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીએ ખેડૂતો અને વિસ્તરણ કાર્યકરો સાથે પ્રાકૃતિક કૃષિ વિષય ઉપર વિગતવાર ચર્ચા કરી તેમને માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત તેમણે વિસ્તરણ કાર્યકરો, ખેડૂત તાલીમ કેન્દ્રના કર્મચારીઓ સાથે બેઠક કરી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે બાગાયત ખાતાની યોજનાકીય માહિતી આપતા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર કે. કે. પટેલ સહિત જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ બગાયત નિયામકશ્રી અને અન્ય અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande