પોરબંદર, 15 જૂન (હિ.સ.)પોરબંદર જિલ્લામાં આવેલ બરડા અભ્યારણમાં આગામી 16 જુન 2025 થી 15 ઓક્ટોબર 2025 સુધી પ્રવાસીઓ માટે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.પોરબંદર જિલ્લામાં ચોમાસા દરમ્યાન ભારે વરસાદ, અચાનક પૂર તથા ચક્રવાત જેવી કુદરતી પરિસ્થિતિઓ સર્જાવાની શક્યતા રહેતી હોવાથી તેમજ આ સમયગાળો વિવિધ સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ તથા સરીસૃપ પ્રજાતિઓ માટે મહત્વપૂર્ણ પ્રજનન સમયગાળો હોવાથી, તેમનાં કુદરતી જીવનચક્રમાં અવરોધ ન આવે તે હેતુસર, બરડા અભયારણ્યના પ્રવેશ પર આગામી તા. 16/06/2025 થી તા. 15/10/2025સુધીનો સમયગાળો માટે તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રવાસીઓ માટે બરડા અભયારણ્ય તા. 16/10/2025 થી ફરીથી રાબેતા મુજબ ખુલ્લું મૂકવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya