પોરબંદરના રાણાવવમાં લો વોલ્ટેજથી લોકો પરેશાન
પોરબંદર, 15 જૂન (હિ.સ.) : રાણાવાવ મફતિયાપરા વિસ્તારમાં લો વોલ્ટેજની સમસ્યા વર્ષ 2022 થી જોવા મળી રહી છે, આ અંગે પીજીવીસીએલ કચેરીને અનેક લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં છતા વીજળી લો વોલ્ટેજ નો પ્રશ્ન આજની સ્થિતિએ યથાવત સ્થિતિમાં જોવા મળી રહી છે. રાણાવ
પોરબંદરના રાણાવવમાં લો વોલ્ટેજથી લોકો પરેશાન


પોરબંદર, 15 જૂન (હિ.સ.) : રાણાવાવ મફતિયાપરા વિસ્તારમાં લો વોલ્ટેજની સમસ્યા વર્ષ 2022 થી જોવા મળી રહી છે, આ અંગે પીજીવીસીએલ કચેરીને અનેક લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં છતા વીજળી લો વોલ્ટેજ નો પ્રશ્ન આજની સ્થિતિએ યથાવત સ્થિતિમાં જોવા મળી રહી છે.

રાણાવાવ મફતીયાપરા વિસ્તારના લોકોએ પીજીવીસીએલના અધિકારીઓને વધુ એક વખત રજુઆત કરી હતી અને એવુ જણાવ્યુ હતુ આ વિસ્તારના લોકોએ એવુ જણાવ્યુ હતુ કે લો વોલ્ટેજના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોની રજુઆત ને પગલે પીજીવીસીએલના કાર્યપાલક ઈજનેર મોરીએ હકારાત્મક જવાબ આપીને યોગ્ય ઘટતું કરવાની સ્થળ નિરીક્ષણ કરીને જે અત્યારે હાલ ટી સી છે તે 100 એચપી નું છે તેમની જગ્યાએ 150 એચપી નું મૂકી આપવાની ખાત્રી આપી હતી બીજું ત્યાં સમગ્ર રાણાવાવ શહેર ને ત્યાં પાતાળ કૂવામાંથી પાણી મોટી મોટી મોટરો દ્વારા ચાલે છે તેથી પાવર લો વોલટેજ મળે છે તે પાતાળ કૂવાની નોખું સબસ્ટેશન નાખી આપવાની ખાત્રી આપી હતી જૂન જર્જરિત વાયરો બદલી આપવની પણ ખાત્રી ગ્રામજનો આપી હતી. ત્રણ વરસ થી મફતિયપરાના લોકો નો અવાજ કોઈ સાંભળતું નહોતું એટલે ત્યાંના સ્થાનિક આગેવાન રફીકભાઈ, અસિફનાઈ, વલીભાઈ તેમજ મફતીયાપરા વિસ્તારના લોકોએ પીજીવીસીએલના અધિકારીઓનો આભાર વ્યકત કર્યો હતો આ રજુઆતમાં શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ પ્રતાપભાઈ ખિસ્તરિયા પણ સાથે જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande