ગીર સોમનાથ 16 જૂન (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના ગઈકાલથી વાતાવરણમાં પલટો આવતા અત્યાર સુધી ધીમીધારે મેઘ સવાર થઈ રહ્યો છે, ત્યારે લોકોને ગરમીથી પણ રાહત મળી છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી નો માલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં વેરાવળ સુત્રાપાડા અને કોડીનાર, તાલાળા પંથકમાં હાલ ધીમીધારે વરસાદ ચાલુ છે, ત્યારે જિલ્લાભરમાં વાવણી લાયક વરસાદ થાય તેવી આશા સેવાય રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ