ગીર વન્ય પ્રાણી અભયારણ્ય ખાતેનું, ગીર ઇકો ટુરિઝમ ઝોન આગામી તારીખ ૧૫-૧૦-૨૦૨૫ સુધી મુલાકાતીઓ માટે બંધ રહેશે
જૂનાગઢ 16 જૂન (હિ.સ.) ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન અને અગ્ર મુખ્ય વન સંરક્ષક, વન્યપ્રાણી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના પરિપત્રમાં જણાવ્યા અનુસાર ગીર વન્ય પ્રાણી અભયારણ્ય ખાતેનું ગીર ઇકો ટુરિઝમ ઝોન નિયત કરેલ રૂટ ઉપરની મુલાકાતે પધારતા મુલાકાતીઓ માટે તારીખ ૧૬/૦૫/
ગીર વન્ય પ્રાણી અભયારણ્ય ખાતેનું, ગીર ઇકો ટુરિઝમ ઝોન આગામી તારીખ ૧૫-૧૦-૨૦૨૫ સુધી મુલાકાતીઓ માટે બંધ રહેશે


જૂનાગઢ 16 જૂન (હિ.સ.) ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન અને અગ્ર મુખ્ય વન સંરક્ષક, વન્યપ્રાણી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના પરિપત્રમાં જણાવ્યા અનુસાર ગીર વન્ય પ્રાણી અભયારણ્ય ખાતેનું ગીર ઇકો ટુરિઝમ ઝોન નિયત કરેલ રૂટ ઉપરની મુલાકાતે પધારતા મુલાકાતીઓ માટે તારીખ ૧૬/૦૫/૨૦૨૫ થી ૧૫/૧૦/૨૦૨૫ સુધી બંધ રાખવામાં આવે છે.

જો કે, હાલમાં ગીર પરિચય ખંડ દેવળીયા/ દેવળીયા સફારી પાર્ક ચાલુ રાખવામાં આવેલ છે. ગીર પરિચય ખંડ દેવળીયાની મુલાકાતે, પધારતા પ્રવાસીઓ ઓફિસિયલ વેબસાઈટ https://girlion.gujarat.gov.in પરથી ઓનલાઇન બુકીંગ કરી શકાશે. તેમ નાયબ વન સંરક્ષક, વન્ય પ્રાણી વિભાગ, સાસણ ગીરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande