જિલ્લામાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન સફળતાપૂર્વક સંપન્ન, ૬ તાલુકાના ૯૦ જેટલા ગામોમાં કૃષિરથના માધ્યમથી ખેડૂતોને માહિતગાર કરાયા
ગીર સોમનાથ, 17 જૂન (હિ.સ.) કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં પ્રિ-ખરીફ કેમ્પેઇન અંતર્ગત વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો ગીર સોમનાથ જિલ્લામાં તારીખ ૨૯ મે થી શુભારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લામાં વેરાવળ, ગીરગઢડા, તાલાળા, ઉના, સૂત્રાપાડા અ
કૃષિરથના માધ્યમથી ખેડૂતોને માહિતગાર કરાયા


ગીર સોમનાથ, 17 જૂન (હિ.સ.) કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં પ્રિ-ખરીફ કેમ્પેઇન અંતર્ગત વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો ગીર સોમનાથ જિલ્લામાં તારીખ ૨૯ મે થી શુભારંભ કરવામાં આવ્યો હતો.

જિલ્લામાં વેરાવળ, ગીરગઢડા, તાલાળા, ઉના, સૂત્રાપાડા અને કોડિનાર તાલુકાના ૯૦ જેટલા ગામોમાં કૃષિરથના માધ્યમથી ખેડૂતોને કૃષિલક્ષી યોજનાઓ તેમજ ખેતીની વિવિધ આધુનિક પદ્ધતિઓ તેમજ ખેતીના વિવિધ આયામોથી માહિતગાર કરી અને વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.

આ અભિયાન અંતર્ગત વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાશ્રી, કેવિકેના જુદા જુદા વિષયના નિષ્ણાંતઓ, કૃષિ યુનિવર્સિટી, આઈ.સી.એ.આર.ના વૈજ્ઞાનિકો, ખેતીવાડી, બાગાયત અને આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર, ડેપ્યુટી ડાયરેક્ટર તથા અન્ય અધિકારીઓ, એફ.પી.ઑ અને ઈફકો કંપનીના પ્રતિનિધિઓ દ્વારા ખેડૂતોને વિવિધ તબક્કાની સમજૂતી આપવામાં આવી હતી.

તજજ્ઞો દ્વારા ખેડૂતોને ખરીફ પાકોની નવીનતમ જાતો, સંકલિત ખાતર વ્યવસ્થાપન, સોઇલ હેલ્થ કાર્ડ, સંકલિત રોગ જીવાત નિયંત્રણ, નિંદામણ નિયંત્રણ, નેનો યુરિયા અને નેનો ડીએપી ખાતરની સમજણ, ડ્રોન ટેકનોલોજી, પાણીનો કાર્યશ્રમ ઉપયોગ, ખેતીના પાકોમાં મૂલ્યવર્ધન જેવા વિષયો ઉપર ખેડૂતોને માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ માર્ગદર્શનના માધ્યમથી, ખેડૂતો સારી રીતે ખેતી કરીને વધારે ઉત્પાદન મેળવી શકશે અને નવી હરિત ક્રાંતિની શરૂઆત કરશે. આ અભિયાનમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો પણ જોડાયા હતા. આ અભિયાન સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના ૯૦ ગામોમાં ફરી અને ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande