ગીર સોમનાથ 17 જૂન (હિ.સ.) તાલાલા તાલુકાના ધાવા પી.એચ.સી. ખાતે, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) અંતર્ગત સગર્ભા મહિલાઓ માટે મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ મેડીકલ ચેકઅપ કેમ્પમાં, વેરાવળ સિવિલ હોસ્પિટલના સ્ત્રી રોગ નિષ્ણાત ડો.નગ્મા દ્વારા સગર્ભા મહિલાઓની તપાસ કરવામાં આવી હતી.
આ કેમ્પમાં તાલાલા તાલુકાના ધાવા તેમજ આસપાસ ગામોમાંથી ૬૫ જેટલી સગર્ભા મહિલાઓ તપાસ માટે આવી હતી. જેમાં સગર્ભા મહિલાઓને સંપૂર્ણ એ.એન.સી. ચેકઅપ, લોહીની તપાસ તેમજ સગર્ભા દરમિયાન રાખવાની કાળજી અંગે માર્ગદર્શન આપી જરૂરી દવાઓનું વિતરણ કરાયું હતું.
આ મેડિકલ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ સગર્ભાવસ્થાની યોગ્ય સાંભળ અને સુરક્ષિત માતૃત્વ પ્રોત્સાહિત કરવાનો હતો. આ કેમ્પને સફળ બનાવવા ધાવા પી.એચ.સી.ના સ્ટાફ, ૧૦૮ તેમજ ખીલખીલાટની ટીમના કર્મચારીઓએ સેવા આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ