કેશોદ જલારામ મંદિરે 341 મોં નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો
જુનાગઢ, 16 જૂન (હિ.સ.) કેશોદના જલારામ મંદિરે આજરોજ નેત્ર નિદાન કેમ્પ મોતિયાના ઓપરેશન માટે , હોમિયોપેથીક કેમ્પ તથા ડાયાબિટીસ કેમ્પ યોજવામાં આવ્યો હતો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો કેશોદનાં આંબાવાડી વિસ્તાર મા
જૂનાગઢ જિલ્લામાં કેશોદ ખાતે


જુનાગઢ, 16 જૂન (હિ.સ.) કેશોદના જલારામ મંદિરે આજરોજ નેત્ર નિદાન કેમ્પ મોતિયાના ઓપરેશન માટે , હોમિયોપેથીક કેમ્પ તથા ડાયાબિટીસ કેમ્પ યોજવામાં આવ્યો હતો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો

કેશોદનાં આંબાવાડી વિસ્તાર માં આવેલ જલારામ મંદિરે રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટનાં સહયોગ થી 342 મો નેત્ર નિદાન કેમ્પ આજરોજ યોજાયો હતો જેમા 185 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામા આવેલ જેમાં જરૂરીયાતમંદ મોતીયાના ઓપરેશન વાળા 63 દર્દીઓને રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા હતા આ ઉપરાંત મોવાણા સરકારી હોસ્પિટલનાં ડો નિકિતા પટેલ દ્વારા 85 દર્દીઓ ને હોમિયોપેથીક દવાઓ નિઃશુલ્ક આપવામાં આવેલ તથા 235 દર્દીઓને એવરનેસ માર્ગદર્શન આપેલ હતું.

કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષ થી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં 341 જેટલાં નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે જેમાં લગભગ 24247 જેટલાં મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે. જલારામ મંદિરે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે.

આજરોજ યોજાયેલા કેમ્પની શરૂઆત ભોજન પ્રસાદ દાતા કેશુભાઈ ઠાકર યોગેશ ઠાકર , જલારામ મંદિર નાં ટ્રસ્ટી રમેશભાઈ, ડો સ્નેહલ તન્ના,દક્ષાબેન મહેતા, પરિતોષ પટેલ હેમંત ઘેરાવરા, ભૂપેન્દ્ર જોશી,મોહનભાઈ ઘોડાસરા , વિરમભાઇ કરંગિયા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મુકવામાં આવેલ.

આ નેત્ર નિદાન કેમ્પમાં 185 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ દ્વારા તપાસીને 63 દર્દીઓ ને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલા હતા. દર્દીઓને માર્ગદર્શન ભગવતસિંહ રાયજાદા, સુરેશ અધેરા દ્વારા આપવામાં આવેલ દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા, ઓસ્કાર વાળા બળવંતસિંહ રાયજાદા દ્વારા કરવામાં આવેલ. ડાયાબીટીશ ચેક અપ બાદ દર્દીની નોંધણી કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande