જુનાગઢ 16 જૂન (હિ.સ.) ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા સંચાલિત સોનાપુર, જૂનાગઢ ખાતે સતાધારના મહંતશ્રી ભક્તભૂષણ શામજીબાપુની મૂર્તિ પ્રતિષ્ઠાનો 32મા પાટોત્સવનું આયોજન કરવામાં આવેલ, જેમાં સવારે 8:00 કલાકે પૂજ્ય શામજીબાપુની મૂર્તિને અભિષેક કરી પૂજન કરવામાં આવેલ ત્યારબાદ ધજા ચડાવવામાં આવેલ.
બપોર બાદ ચાર કલાકે શૈલેષભાઈ દવે દ્વારા યજમાનશ્રી નંદલાલભાઈ ચાવડા ના યજમાન પદે સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવેલ.
અમદાવાદ ખાતે પ્લેન ક્રશ થવાને કારણે આશરે 290 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા તેમના આત્માને સદગતિ માટે ધુન કરી મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ. ત્યારબાદ પૂજ્ય શામજીબાપુની પ્રતિમાની આરતી ઉતારવામાં આવી.
ઉપરોક્ત કાર્યક્રમ પ્રમુખ વિવેક ધીરુભાઈ ગોહેલ મંત્રી દિનેશભાઈ કાચા, કિશોરભાઈ ચોટલીયા, જે કે ચાવડા, કાળુભાઈ ચોટલીયા, ધીરુભાઈ ટાંક, પ્રકાશભાઈ ટાંક, વજુભાઈ કાચા,રમેશભાઈ ટાંક, ગોરધનભાઈ ટાંક ભરતભાઈ ભાલીયા, મોહનભાઈ ચોટલીયા, સી પી જાદવ, રસિકભાઈ મોરવાડિયા, અનુભાઈ સોલંકી, હરિભાઈ મોરવાડિયા, તેજસભાઈ વેગડ, હરિભાઈ ચાવડા,,રાજુભાઈ સોલંકી. યુવા સંગઠનના પ્રમુખ મોહિતભાઈ ગોહેલ સંજય ચાવડા, શ્યામ મહિલા મંડળના પ્રમુખ મીનાબેન ગોહેલ મંત્રી અરુણાબેન ભાલીયા, ખજાનચી છાયાબેન ચોટલીયા, ભાવનાબેન ચાવડા હર્ષાબેન ચોટલીયા તેમજ વિશાળ સંખ્યામાં ભાઈઓ તથા બહેનોએ ઉપસ્થિત રહી લાભ લીધો હતો. સોનાપુર શામજીબાપુના મંદિર ખાતે કાયમી સેવા પૂજા કરતા જીવરાજભાઈ ટાંક, ભગવાનજીભાઈ ગોહેલ, અરવિંદભાઈ, મગનભાઈ ટાંક, પ્રફુલભાઈ ચોટલીયા અનિલભાઈ ટાંક પ્રવીણભાઈ ટાંક પ્રવીણભાઈ પરમાર વગેરે દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.
આ કાર્યક્રમ દરમિયાન ચા કોફી તેમજ દૂધ કોલ્ડ્રીંક, અંતે પ્રસાદ વિતરણ કરવામાં આવેલ હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ