ચોરવાડ શાંતિપરા ગામે દ્વારકાધીશ ગૌ હોસ્પિટલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું
જુનાગઢ 16 જૂન (હિ.સ.) માળીયા તાલુકાના શાંતિપરા ગામમાં નવી બનાવેલી જય દ્વારકાધીશ ગૌસેવા હોસ્પિટલમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. જય દ્વારકાધીશ ગૌ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં 200 જેટલા વૃક્ષ વાવી વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો વૃક્ષ વાવો જીવન બચાવો
ચોરવાડ શાંતિપરા ગામે દ્વારકાધીશ ગૌ હોસ્પિટલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું


જુનાગઢ 16 જૂન (હિ.સ.) માળીયા તાલુકાના શાંતિપરા ગામમાં નવી બનાવેલી જય દ્વારકાધીશ ગૌસેવા હોસ્પિટલમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું.

જય દ્વારકાધીશ ગૌ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં 200 જેટલા વૃક્ષ વાવી વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો વૃક્ષ વાવો જીવન બચાવો સૂત્રને સાર્થક કરાયું હતું. આ તકે ચોરવાડ પોલીસ સ્ટેશનના પીએસઆઇ તેમજ ધર્મેશભાઈ સિંધવ જેતમાલભાઈ જગમાલભાઈ રામભાઈ અને નારણભાઈ સહિત જય દ્વારકાધીશ યુવા ટીમ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande