પોરબંદર, 16 જૂન (હિ.સ.)પોરબંદર શહેરના ઉદ્યોગનગરમાં રહેતા એક પરિવારના ગુમ થયેલ ચાર સભ્યને, રાજકોટ જિલ્લા માંથી ઉદ્યોગનગર પોલીસે શોધી કાઢ્યા હતા.
પોરબંદર શહેરના બોખીરા વિસ્તારમાં રહેતા ઘનશ્યામસિંહ જેઠુભા જેઠાવા,જાગુબા રામદેવસિંહ જાડેજા,ચંદ્રરાજ રામદેવસિંહ જાડેજા,માનરાજ રામદેવસિંહ જાડેજા ગુમ થયા હોવા ની નોંધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી.ગુમ થયેલા પરિવાર, બાળકો તથા સ્ત્રીઓને શોધી કાઢવા માટે એક ટીમની રચના કરવામાં આવી હતી.ગુમ થયેલ પરિવાર રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના સાગણવા ગામ ની સિમમાં હોવાની હકીકત મળતા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તાત્કાલિક લોધિકા તાલુકાના સાગણવા ગામ ની સિમ પહોંચી ગુમ થયેલ પરિવાર ને શોધી કાઢ્યો હતો.પરિવાર ને સહી સલામત પોરબંદર ખાતે લાવવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya