દાહોદ, 16 જૂન (હિ.સ.) દાહોદ ના જેકોટ નજીક ઈન્દોર અમદાવાદ હાઈવે ઉપર ખાનગી બસ પલ્ટી મારી હતી. ખાનગી બસ પલ્ટી મારતા 13 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા.
જેકોટ નજીક છાયણ ઘાટીમાં અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્તો ને દાહોદ ની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા હતા. ગોંડલ થી મધ્યપ્રદેશ જઈ રહેલી બસ ને નડ્યો અકસ્માત. પોલીસ અને હાઇવે ઓથોરિટી ના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા બસ મા મોટેભાગે શ્રમિક પરિવારો વતન જતા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Nehal Shah