પોરબંદર, 16 જૂન (હિ.સ.) : કુતિયાણાની ભાદર નદી બાદ પોરબંદરના બરડાપંથકમા આવેલ વર્તુ 2 નદીમાંથી રેતી ચોરી થઈ રહી છે ત્યારે જવાબદાર અધિકારીઓની મિલીભગતના આક્ષેપો થઈ રહ્યાં છે. મોટા મશીનો અને 10થી 15 વાહનો વડે રેતી ચોરી થઈ રહી છે છતાં અધિકારીઓને ખબર નથી ? પોલીસ અધિકારીઓને જાણ નથી? તેવા અનેક સવાલો ઉઠી રહ્યાં છે.
બરડા પંથકના એક જાગૃત નાગરિક દ્વારા લેખિતમાં તંત્રને રજુઆત કરી છે ખનીજ માફીયા સામે કાર્યવાહીની માંગ કરી છે. બરડાપંથકના જાગૃત નાગરિકે લેખિતમા કરેલી રજુઆતમાં જણાવ્યુ હતુ કે, પોરબંદર તાલુકાના પારાવાડા ગામ નજીકમાં વર્તુળ 2 નદી આવેલી છે જ્યાં સ્મશાન નજીકમાં છેલ્લા એક અઠવાડિયાથી બેફામ રીતે રેતી ચોરી કરવામા આવી રહી છે. વર્તુ - ૨ નદી માંથી એક લોડર એક જીસીબી મશીન અને 10 થી 12 ટ્રેક્ટરથી મદદથી બેફામ રીતે રેતી ચોરી કરવામાં આવી રહી છે રેતી ચોરી કરી ગામમાં અલગ અલગ બે થી ત્રણ જગ્યાએ ઢગલાં કરેલા છે. તંત્ર અને પોલીસને મીઠી નજર હેઠળ રેતી ચોરી થતી હોવાના શંકા છે જાગૃત નાગરીકે વધુમા એમ પણ જણાવ્યુ હતુ કે, સ્થાનિક લેવલથી પોલીસને જાણ કરવા છતાં પણ કંઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી જે રેતી નદીને અંદરથી ચોરી કરેલી છે તેનો એક ચટ્ટો સ્મશાન નજીક ઉપર સ્ટોક કરેલો છે અને એક બીજો રેતીનો છટો જૂની સમાજ ગ્રાઉન્ડ નાગરાજ પાનને પાછળના ગ્રાઉન્ડમાં કરેલો છે. વહેલી તકે આ ખનીજ ની રેતી ચોરી બંધ કરાવો અને જે ચોરી કરેલી છે તે છતાં સીલ કરવામાં આવે તેવી માંગ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya