પાટણ, 16 જૂન (હિ.સ.)પાટણના પંચાસરા જૈન મંદિર નજીક આવેલા ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં સૌધર્મ બૃહત્તપાગચ્છીય ત્રિસ્તુતિક જૈનાચાર્ય જયન્તસેનસૂરિ મહારાજના, મુનિરાજ ચારિત્રરત્નવિજયઆદિઠાણાનું પાવન પદાર્પણ થયું છે. આ અવસરે ત્રિસ્તુતિક જૈન સંઘ પાટણ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શોભાયાત્રા બાદ યોજાયેલી ધર્મસભામાં મુનિરાજે માનવ જીવનના મહત્વ વિષે ઊંડાણપૂર્વક અને પ્રેરણાદાયક પ્રવચન આપ્યું હતું. તેમની વાણીથી ઉપસ્થિત શ્રાવક શ્રાવિકા અને નાગરિકો ભક્તિભાવથી ભાવવિભોર બન્યા હતા.
આ અવસરે મુનિરાજના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે જૈન સમાજના લોકો તેમજ સ્થાનિક નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. તેઓ પાટણમાં 20 જૂન સુધી રોકાણ કરશે અને ત્યારબાદ શંખેશ્વર તરફ પ્રયાણ કરશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર