પાટણ, 16 જૂન (હિ.સ.)સિદ્ધપુર ખળી ચાર રસ્તા ખાતે ઘણા સમયથી ઓવર બનાવવાની કામગીરી ચાલી રહી છે જેને લઇને સર્વિસ રોડ બનાવવા આશરે બે મહિનાથી જે.સી.બી વડે ખોદકામ ની કામગીરી શરૂ કરાઈ હતી પરંતુ કોન્ટ્રાક્ટર દ્રારા વેપારી વર્ગ લોકોના અવર જવર માટે કોઈ યોગ્ય વૈકલ્પિક રસ્તો ન કરી આપવામા આવતા લોકોને ધંધા રોજગાર મા પારાવાર મુશ્કેલીઓ નો સામનો કરવાનો વારો આવ્યો હતો. વેપારી ભાઇઓએ જણાવ્યુ હતુ કે અહિયા ઓવર બ્રિજ બનાવવાની કામગીરી ને લઇને સર્વિસ રોડ બનાવવા માટે ખોદકામ કરાઈ રહ્યુ છે. પરંતુ કોન્ટ્રાક્ટર ની બેદરકારી ના કારણે અમારે આવવા જવાનો રસ્તો બંધ થઈ જતા અમારા ધંધા રોજગાર ઉપર મોતી અસર પડી રહી છે.અમે રજૂઆતો કરી તો થોડા દિવસો મા કામ પુર્ણ થઈ જશે એવુ જણાવી ગોકળ ગતી એ કામગીરી કરતા આજ બે મહિના થવા આવ્યા. જો આમને આમ રહેશે તો અમે સૌ વેપારી લોકો ગાંધી ચિંધ્યાં માર્ગ ની ચીમકી ઉચ્ચારી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર