જૂનાગઢ ખાતેની એમ.પી. શાહ સરકારી અંધશાળામાં, પ્રવેશ પ્રક્રિયા શરૂ પ્રજ્ઞાચક્ષુ તથા અંશતઃ પ્રજ્ઞાચક્ષુ પ્રવેશ મેળવી શકશે :
પ્રજ્ઞાચક્ષુઓને રહેવા, જમવા સહિતની સુવિધાઓ નિ:શુલ્ક મળશે
જૂનાગઢ ખાતેની એમ.પી. શાહ સરકારી અંધશાળામાં, પ્રવેશ પ્રક્રિયા શરૂ પ્રજ્ઞાચક્ષુ તથા અંશતઃ પ્રજ્ઞાચક્ષુ પ્રવેશ મેળવી શકશે :


જૂનાગઢ 17 જૂન (હિ.સ.) જૂનાગઢ ખાતેની એમ.પી. શાહ સરકારી અંધશાળામાં જૂન-૨૦૨૫થી સંપૂર્ણ પ્રજ્ઞાચક્ષુ તથા અંશતઃ પ્રજ્ઞાચક્ષુઓ બાળકો માટે વિનામૂલ્યે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે.

શહેરના એમ.જી. રોડ પર હાથી ખાના મેદાન ખાતેની આ સરકારી અંતશાળામાં ધોરણ ૧ થી ૮ સુધીનું બ્રેઇલ લિપીમાં શિક્ષણ તેમજ ઉદ્યોગ અને સંગીતમાં વિશારદ સુધીનું શિક્ષણ તથા કોમ્પ્યુટરનું વિશિષ્ટ શિક્ષણ આપવામાં આવે છે. આ સંસ્થામાં પ્રજ્ઞાચક્ષુ બાળકોને અંતેવાસી તરીકે રહેવા, જમવા તથા અભ્યાસને લગતી તમામ સગવડ અને રમતગમત, મનોરંજનની તથા બાળકોને જરૂરી દરેક વ્યવસ્થા સરકાર તરફથી નિ:શુલ્ક પૂરી પાડવામાં આવે છે.

એમ.પી. શાહ સરકારી અંધશાળામાં પ્રવેશ મેળવવા માટે સંસ્થાના આચાર્યશ્રીનો સવારે ૧૦ થી સાંજના ૫ વાગ્યા સુધી રૂબરૂ અથવા મોબાઈલ નં. ૯૯૨૪૯૬૭૧૮૩ સંપર્ક કરવાનો રહેશે. તેમ શ્રી એમ.પી. શાહ સરકારી અંધશાળાના આચાર્યની યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande