ગીર સોમનાથ જિલ્લામાં ૬ તાલુકાના ૯૦ જેટલા ગામોમાં કૃષિરથના માધ્યમથી ખેડૂતોને માહિતગાર કરાયા
ગીર સોમનાથ 18 જૂન (હિ.સ.) જિલ્લામાં વેરાવળ, ગીરગઢડા, તાલાળા, ઉના, સૂત્રાપાડા અને કોડિનાર તાલુકાના ૯૦ જેટલા ગામોમાં કૃષિરથના માધ્યમથી ખેડૂતોને કૃષિલક્ષી યોજનાઓ તેમજ ખેતીની વિવિધ આધુનિક પદ્ધતિઓ તેમજ ખેતીના વિવિધ આયામોથી માહિતગાર કરી અને વિકસિત કૃષિ સંક
જિલ્લામાં  ૬ તાલુકાના ૯૦ જેટલા ગામોમાં


ગીર સોમનાથ 18 જૂન (હિ.સ.) જિલ્લામાં વેરાવળ, ગીરગઢડા, તાલાળા, ઉના, સૂત્રાપાડા અને કોડિનાર તાલુકાના ૯૦ જેટલા ગામોમાં કૃષિરથના માધ્યમથી ખેડૂતોને કૃષિલક્ષી યોજનાઓ તેમજ ખેતીની વિવિધ આધુનિક પદ્ધતિઓ તેમજ ખેતીના વિવિધ આયામોથી માહિતગાર કરી અને વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.

આ માર્ગદર્શનના માધ્યમથી ખેડૂતો સારી રીતે ખેતી કરીને વધારે ઉત્પાદન મેળવી શકશે અને નવી હરિત ક્રાંતિની શરૂઆત કરશે. આ અભિયાનમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો પણ જોડાયા હતા. આ અભિયાન સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના ૯૦ ગામોમાં ફરી અને ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande