કેએસવી સંલગ્ન બીબીએ કોલેજ દ્વારા, શ્રી જલારામ મંદિર ખાતે સ્વચ્છતા સેવાયજ્ઞ અને સર્વાંગી વિકાસ માટે શિબિર યોજાઈ
ગાંધીનગર, 19 જૂન (હિ.સ.) : સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બી.પી. કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA) દ્વારા કોલેજના NSS સ્વયંસેવકો શ્રી જલારામ મંદિર, ખાતે એક દિવસીય ચિંતન શિબિર અને સ્વચ્છતા સેવાયજ્ઞ જેવા સેવાકીય કાર
સ્વચ્છતા સેવાયજ્ઞ અને સર્વાંગી વિકાસ માટે શિબિર યોજાઈ


સ્વચ્છતા સેવાયજ્ઞ અને સર્વાંગી વિકાસ માટે શિબિર યોજાઈ


સ્વચ્છતા સેવાયજ્ઞ અને સર્વાંગી વિકાસ માટે શિબિર યોજાઈ


સ્વચ્છતા સેવાયજ્ઞ અને સર્વાંગી વિકાસ માટે શિબિર યોજાઈ


સ્વચ્છતા સેવાયજ્ઞ અને સર્વાંગી વિકાસ માટે શિબિર યોજાઈ


ગાંધીનગર, 19 જૂન (હિ.સ.) : સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બી.પી. કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA) દ્વારા કોલેજના NSS સ્વયંસેવકો શ્રી જલારામ મંદિર, ખાતે એક દિવસીય ચિંતન શિબિર અને સ્વચ્છતા સેવાયજ્ઞ જેવા સેવાકીય કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનું સંકલન કોલેજના ઉપાચાર્ય ડૉ. જયેશ તન્ના દ્વારા કરવામાં આવ્યું હતું. જલારામ મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી અરવિંદભાઈ નો સમગ્ર કાર્યક્રમ માં સહયોગ સાંપડ્યો હતો અને તેઓએ તેમજ સમગ્ર મંદિર ટ્રસ્ટ પરિવાર દ્વારા ખૂબ સુંદર આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં કુલ 110 NSS સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. એમાંથી 57 NSS સ્વયંસેવકોએ સ્વચ્છતા અભિયાનમાં ખાસ ભાગ લીધો. સ્વયંસેવકોએ મંદિર પરિસર અને આજુબાજુના વિસ્તારોમાં સફાઈ કરી, પ્લાસ્ટિક, સૂકો તથા ભીનો કચરો અલગ ભેગો કરીને કચરાપેટીમાં વિસ્થાપિત કર્યો.વિદ્યાર્થીઓએ “સ્વચ્છ ભારત શ્રેષ્ઠ ભારત” ના સંકલ્પ સાથે જનજાગૃતિ ફેલાવવાનો નિણય કર્યો અને જાહેર સ્થળો પર પણ સ્વચ્છતા જાળવવા લોકોમાં જાગૃતિ લાવવાની જવાબદારી નિભાવી.આ એક દિવસીય ચિંતન શિબિરના વિવિધ સત્રોમાં શિક્ષણ, સંસ્કાર અને સેવા ક્ષેત્રે આવકારજનક પ્રવૃત્તિઓનું આયોજન થયું.

જેમાં સ્વયંસેવકો એ જલારામ બાપાના જીવન આધારિત વકતૃત્વ આપ્યા અને સમાજસેવા, રાષ્ટ્રભાવના અને નૈતિક મૂલ્યો જેવા વિષયો પર સ્વયંસેવકોએ ચિંતનાત્મક અને ઊર્જાવાન ભાષણો રજૂ કર્યા. સાથે સાથે છોકરીઓ ના જુથ ને બૌદ્ધિક રમત દ્વારા પોતાની બુદ્ધિમત્તા અને ટીમ વર્ક દર્શાવ્યું. જ્યારે ભાઈઓ એ સફાઇ અભિયાન માં યોગદાન આપ્યું. ત્યારબાદ ભજન ધૂનના અંતિમ સત્રમાં શ્રી જલારામ બાપાના ભજનોની સુમધુર ગુંજ સાથે આધ્યાત્મિક શાંતિ અને એકતાનો અનુભવ કરાયો. શિબિરમાં જલારામ મંદિર દ્વારા અલ્પાહાર અને ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થા ના પ્રમુખ અરવિંદભાઈ સતત કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓએ ચાવીરૂપ વક્તવ્ય આપી વિદ્યાર્થીઓને સામાજિક સેવા સાથે સાથે વ્યાવસાયિક જ્ઞાન અને વિવેક બાબતે પ્રેરણા આપી હતી. આવા કાર્યક્રમો સ્વયંસેવકોમાં સામાજિક જવાબદારી, સેવાભાવ, શિસ્ત, નૈતિકતા અને ભારતીય સંસ્કૃતિમૂલ્યો વિકસાવે છે. આ શિબિર અને સેવાયજ્ઞ એ વિદ્યાર્થીજીવનમાં ઉંડા મૂલ્યો વાવેતર કરે છે.

કોલેજના આચાર્ય ડૉ. રમાકાન્ત પૃષ્ટીના માર્ગદર્શન હેઠળ ઉપાચાર્ય ડૉ. જયેશ તન્ના અને યુનિવર્સિટીના NSS પ્રોગ્રામ કો ઓર્ડીનેટર ધર્મેન્દ્રસિંહ રાઠોડ અને ડૉ. આશિષ ભૂવા દ્વારા સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande