ધોરણ 10-12ની પૂરક પરીક્ષા આયોજન અંગે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
પોરબંદર, 19 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં 23 જૂનથી 3 જુલાઈ, 2025 દરમ્યાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 (એસ.એસ.સી.) અને ધોરણ 12 (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ) ની પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ પર
ધોરણ 10-12ની પૂરક પરીક્ષા આયોજન અંગે  કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ.


ધોરણ 10-12ની પૂરક પરીક્ષા આયોજન અંગે  કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ.


ધોરણ 10-12ની પૂરક પરીક્ષા આયોજન અંગે  કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ.


ધોરણ 10-12ની પૂરક પરીક્ષા આયોજન અંગે  કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ.


પોરબંદર, 19 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં 23 જૂનથી 3 જુલાઈ, 2025 દરમ્યાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 (એસ.એસ.સી.) અને ધોરણ 12 (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ) ની પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ પરીક્ષા સમયગાળા દરમ્યાન સુચારુ વ્યવસ્થા જળવાય તે અંગે પરબંદર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.

જિલ્લા કલેક્ટર દ્વારા શિક્ષણ વિભાગ, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, મ્યુનિ. કોર્પોરેશન તેમજ અન્ય સંબંધિત વિભાગોને પરીક્ષા દરમ્યાન સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી શકે તે માટે ગુજરાત માર્ગ વાહન વ્યવહાર વિભાગ (એસ.ટી.) સાથે સંકલન સાધી યોગ્ય વ્યવસ્થા કરવા અંગે સૂચના આપવામાં આવી હતી.

વધુમાં કલેક્ટર દ્વારા નિયત કરાયેલ પરીક્ષા કેન્દ્રો પર શિસ્તપૂર્ણ પરીક્ષા યોજાય, પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ આચરમાં ન આવે તેમજ વીજ પુરવઠો સતત જળવાય રહે, આરોગ્ય પ્રત્યે કાળજી જળવાય રહે તેમજ પરીક્ષાર્થીઓ શાંત અને ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ધોરણ-10ના પરીક્ષાના કેન્દ્રો નવયુગ વિધાલય- પોરબંદર, મ.શ્રી બાલુબા કન્યા વિધાલય- પોરબંદર, શ્રીમતી કે.બી.જોષી કન્યા વિધાલય- છાંયા, શ્રી સ્વામિનારાયણ હાઇસ્કુલ- છાંયા, સેન્ટ જોસેફ સ્કુલ- ખાપટ નિયત કરવામાં આવ્યા છે જેમાં 1362 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે ડિવાઇન પબ્લીક સ્કુલ બોખીરા ખાતે 188 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે અને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે સાંદીપની ઇગ્લીશ મિડીયમ સ્કુલ પોરબંદર કેન્દ્રને નિયત કરવામાં આવ્યું છે જેમાં 74 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.

જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વરસાદી વાતાવરણને ધ્યાનમાં રાખીને પરીક્ષાર્થીઓ નિયત પરીક્ષા કેન્દ્ર પર સમયથી પહેલા પહોંચે જેથી કરીને પરીક્ષામાં કોઈ વિઘ્ન ન પડે અને વિદ્યાર્થીના ભવિષ્યને અડચણ ન થાય તે માટે વિદ્યાથીઓ અને વાલીઓને પણ અપીલ કરવામાં આવી છે.

આ બેઠકમાં પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે બી વદર, પોરબંદર જિલ્લા શિક્ષણાધિકારી વી કે પરમાર તેમજ શિક્ષણ સહિત અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande