પાટણમાં 143મી, રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં
પાટણ, 19 જૂન (હિ.સ.)ગુજરાતમાં બીજી અને ભારતમાં ત્રીજી સૌથી મોટી ગણાતી પાટણની ઐતિહાસિક રથયાત્રા આ વર્ષે 143મી વખત અષાઢી બીજના દિવસે નીકળશે. જગન્નાથ મંદિરથી શરૂ થતી આ રથયાત્રા માટે પાટણ નગરપાલિકાએ વિશેષ તૈયારી હાથ ધરી છે જેથી યાત્રા શ્રદ્ધાળુઓ માટે સુવ
પાટણમાં 143મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં


પાટણ, 19 જૂન (હિ.સ.)ગુજરાતમાં બીજી અને ભારતમાં ત્રીજી સૌથી મોટી ગણાતી પાટણની ઐતિહાસિક રથયાત્રા આ વર્ષે 143મી વખત અષાઢી બીજના દિવસે નીકળશે. જગન્નાથ મંદિરથી શરૂ થતી આ રથયાત્રા માટે પાટણ નગરપાલિકાએ વિશેષ તૈયારી હાથ ધરી છે જેથી યાત્રા શ્રદ્ધાળુઓ માટે સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય.

પાલિકા દ્વારા રથયાત્રાના રૂટ પર સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 7ના રૂટમાં અંબાજી ચોક, ભેંસાત વાડા, હિંગળાચાચર ચોક, મંછાકડિયાની ખડકી, ઝવેરી વાડ, બારોટનો કસારવાડો, યમુનાવાડી અને પીપળાગેટ પોલીસ ચોકી સુધીના માર્ગો પર સફાઈનું કાર્ય ચાલી રહ્યું છે. સાથે ખાડાઓનું પુરાણ પણ કરવામાં આવી રહ્યું છે.

સફાઈ કર્મચારીઓ દ્વારા રસ્તાઓ પરથી કાદવ, માટી, ઈંટો, કચરો અને બિનજરૂરી કાટમાળ ટ્રેક્ટરના સહારે દૂર કરવામાં આવી રહ્યો છે. વોર્ડ ઇન્સ્પેક્ટર જીગર પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ કામગીરી થઇ રહી છે. રથયાત્રા દરમ્યાન કોઈ મુશ્કેલી ન થાય તે માટે સંપૂર્ણ સતર્કતા રાખવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande