વલસાડ , 19 જૂન (હિ.સ.)-સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન હેઠળ વાપી તાલુકાના દેગામ ગામનાં મનોવિકાસ બાળભવનમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું.
ગુજરાત રાજ્ય યોગબોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલ રાજપૂતનાં, કુશળ નેતૃત્વમાં વલસાડ જિલ્લાના યોગ કો-ઓર્ડીનેટર પ્રિતીબેન વૈષ્ણવની અધ્યક્ષતામાં વાપી તાલુકાનાં દેગામની મનોવિકાસ બળભવનમાં માનસિક અને શારીરિક રીતે પછાત બાળકો માટે એક યોગ શિબિરનું આયોજન કરાયુ હતું.
આ યોગ સત્રનાં માધ્યમથી બાળકોનો માનસિક અને શારીરિક વિકાસ થાય એ માટે બાળકોને યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરાવવામાં આવ્યા હતા. આ શિબિરનું સંપૂર્ણ આયોજન વાપીના યોગ કોચ માયાબેન ઘોડગે દ્વારા કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી ડૉ.મોહનભાઇ ડિયો, ડૉ. ચિંતનભાઈ પટેલ, અમૃતલાલ સોની, પ્યારેલાલ શર્મા, રમાકાંતભાઈ યાદવ, જ્યોતિ શાહ નો સહયોગ રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે