પાટણના અનાવાડા ખાતે અણહિલવાડ ગૌભક્તિ મહોત્સવનું આયોજન થશે
પાટણ, 2 જૂન (હિ.સ.)પાટણના અનાવાડા ખાતે બીમાર ગૌમાતાની સેવા કરતી હરિઓમ ગૌશાળા માટે અણહિલવાડ ગૌભક્તિ મહોત્સવ 1થી 7 ડિસેમ્બર દરમિયાન યોજાશે. કાર્યક્રમમાં પ્રખ્યાત ભાગવત કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહ મુખ્ય આકર્ષણ રહેશે. સાથે સાથે દરરોજ વૈદિક ગૌપૂ
પાટણના અનાવાડા ખાતે અણહિલવાડ ગૌભક્તિ મહોત્સવનું આયોજન થશે


પાટણના અનાવાડા ખાતે અણહિલવાડ ગૌભક્તિ મહોત્સવનું આયોજન થશે


પાટણ, 2 જૂન (હિ.સ.)પાટણના અનાવાડા ખાતે બીમાર ગૌમાતાની સેવા કરતી હરિઓમ ગૌશાળા માટે અણહિલવાડ ગૌભક્તિ મહોત્સવ 1થી 7 ડિસેમ્બર દરમિયાન યોજાશે. કાર્યક્રમમાં પ્રખ્યાત ભાગવત કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહ મુખ્ય આકર્ષણ રહેશે. સાથે સાથે દરરોજ વૈદિક ગૌપૂજન, માં સરસ્વતી પૂજન અને સુરભિ યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ત્રણ રાત્રિ કુંવરબાઈનું મામેરું અને એક રાત્રિ ભવ્ય ડાયરો પણ યોજાશે.

આ મહોત્સવના આયોજન માટે બ્રહ્મચારી મુકુંદપ્રકાશજી મહારાજના માર્ગદર્શન હેઠળ 85 જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે, જેમાં પાટણ તેમજ આસપાસના ગામોના ગૌભક્તોએ સક્રિય ભાગ લીધો છે. મહોત્સવના પ્રચાર માટે પાટણ જિલ્લાના તમામ ગામો ઉપરાંત બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના નજીકના વિસ્તારોમાં પણ ગૌરક્ષકો દ્વારા વ્યાપક પ્રચાર કરવામાં આવશે.

મુકુંદપ્રકાશજી મહારાજે જણાવ્યું હતું કે, હાલમાં બીમાર ગાયો માટે વિશાળ હોસ્પિટલનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં છે અને આ કથા તેના સંચાલનમાં મદદરૂપ બનશે. ગૌશાળાનો વર્તમાન ખર્ચ ગૌપ્રેમી સજ્જનોના સહયોગથી ચાલે છે. આગામી સમયમાં હરિઓમ ગૌશાળા ગુજરાતની અગ્રણી ગૌસેવા સંસ્થા તરીકે સ્થાપિત થવાનું લક્ષ્ય રાખે છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande