ગાંધીનગર, 2 જૂન (હિ.સ.) : અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો એ ફરી એક વખત પોતાની નિપુણતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
10 લાખ બાળકોએ લગભગ એક બાળકમાં જોવા મળતી અતિ દુર્લભ પેપિલરી થાઇરોડ કેન્સરની સફળ સર્જરી સિવિલ હોસ્પિટલના બાળ રોગ સર્જરી વિભાગ દ્વારા કરવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલમાં નોંધાયેલ આ દુર્લભ કેન્સર અને તેની સર્જરીની વધુ માહીતી આપતા ડૉ. રાકેશ જોષી એ જણાવ્યું હતુ કે, મજુરી કામ કરતા અજય સરમિયાની 6 વર્ષની પુત્રી મહિમા સરમિયાને છેલ્લા એક મહીનાથી ગળાના વચ્ચેના ભાગે દુખાવા રહીતનો સોજો જોવા મળ્યો.જે ધીરે ધીરે વધતો હોવાથી તેના માતાપિતા અમદાવાદ સિવિલ મેડીસીટી કેમ્પસમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં બતાવવા લઇ આવ્યા. જ્યાં તેના ગળાના ભાગમાં આવેલ થાઇરોઇડ ગ્રંથિમાંથી સોનોગ્રાફીની મદદથી બાયોપ્સી લેવામાં આવી. તેનું પેટ સીટી સ્કેન પણ કરવામાં આવ્યુ. જેમાં તેણીને થાઈરોઈડ ભાગનું પેપિલરી કેન્સર હોવાનું નિદાન થયું. આ સાથે તેના ગળાના ભાગમાં આવેલા લસિકા ગ્રંથિઓમાં પણ કેન્સરનો ચેપ હોવાનું માલુમ પડ્યું. તેણીને સર્જરી માટે કેન્સર હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી.
તારીખ 22/5/25 ના રોજ ડૉ. રાકેશ જોશી (મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ અને HOD, પીડિયાટ્રિક સર્જરી), ડોક્ટર નિરખી શાહ અને તેમની ટીમ અને ડૉ. નિલેશ સોલંકીની આગેવાની હેઠળ એનેસ્થેસિયા વિભાગની ટીમ દ્વારા મહીમાની ટોટલ થાઇરોઇડેક્ટોમી કરવામાં આવી. મહીમાની સર્જરી ખુબ સારી રીતે થઇ જેથી સર્જરી પછી તેણીને કોઈ પણ પ્રકારની તકલીફ કે કોમ્પ્લીકેશન ન થતા ઓપરેશનના આઠમા દિવસે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.
હવે તેણીને 21 માં દિવસે થાઇરોઈડ સ્કેન કરાવવામાં આવશે અને ત્યારબાદ રેડિયો આયોડિન એબલેશન થેરાપી આપવાનું નક્કી કરવામાં આવશે. જેની સાથે તેણીને જીવન પર્યંત થાઈરોઈડની દવા આપવામાં આવશે એમ ડો. જોશી એ જણાવ્યુ હતુ.
પેપિલરી થાઇરોઇડ કેન્સર વિશે વધુ વિગતો આપતા ડો. રાકેશ જોષી એ જણાવ્યુ હતુ કે, રેડિયેશન એક્સપોઝર અને પરીવારમાં થાઇરોઇડ કેન્સરનો ઇતિહાસ ધરાવતા અથવા આનુવંશિક બીમારી હોય તેવા બાળકોમાં આ બીમારી થવાનુ વધુ જોખમ હોય છે. આ પ્રકારના કેન્સરમાં ગળાની નજીકની લસિકાગ્રંથિ માં કેન્સર ફેલાવાની વૃત્તિ હોવા છતાં, યોગ્ય સારવાર સાથે પેપિલરી થાઇરોઇડ કેન્સર માં સારા પરીણામો મેળવી શકાય છે. પેપિલરી થાઇરોઇડ કેન્સર માં ગળા ના ભાગે સોજા આવવા એ મોટેભાગે પ્રથમ લક્ષણ હોય છે જેને બાળકો ના માતાપિતા એ અવગણવા જોઈએ નહીં અને તુરંત જ બાળરોગ સર્જન અથવા એન્ડોક્રિનોલોજિસ્ટ પાસે તેની તપાસ કરાવવી જોઇએ. પેપિલરી થાઇરોઇડ કેન્સર માં સર્જરી એ જ મુખ્ય સારવાર છે.
ડો. જોષી એ વધુ માં જણાવ્યુ હતુ કે ખુબ જ સાવચેતી પુર્વક આ સર્જરી કરવી પડતી હોય છે કેમ કે સર્જરી દરમ્યાન થાઇરોઇડ ગ્રંથિની આસપાસ ના ચેતાતંતુ ને ઇજા થવાથી અવાજમાં ફેરફાર અથવા કર્કશતા આવી શકે છે. હોઠ તથા આંગળીઓમાં ઝણઝણાટ, પેરાથાઇરોઇડ ગ્રંથિ ને ઇજા થાય તો કેલ્શિયમ ઘટી જતાં સ્નાયુ ખેંચાવા ઉપરાંત બીજા કોમ્પ્લીકેશનો માં શ્વાસનળીમાં ઇજા, રક્તસ્ત્રાવ, સર્જરી ના ભાગે સોજો થવો વિગેરે હોય છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ