ઈરાનમાં આઈઆરજીસીના ગુપ્તચર સંગઠનના નવા વડા તરીકે, બ્રિગેડિયર જનરલ માજિદ ખાદેમીની નિયુક્તિ
તેહરાન, નવી દિલ્હી, 20 જૂન (હિ.સ.) ઈરાનના બ્રિગેડિયર જનરલ માજિદ ખાદેમીને, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી)ના ગુપ્તચર સંગઠનના નવા વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આઈઆરજીસીના કમાન્ડર-ઇન-ચીફ બ્રિગેડિયર જનરલ મોહમ્મદ પાકપુરે, સત્તાવાર રીત
બ્રિગેડિયર જનરલ માજિદ ખાદેમી


તેહરાન, નવી દિલ્હી, 20 જૂન (હિ.સ.) ઈરાનના બ્રિગેડિયર જનરલ માજિદ ખાદેમીને, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી)ના ગુપ્તચર સંગઠનના નવા વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આઈઆરજીસીના કમાન્ડર-ઇન-ચીફ બ્રિગેડિયર જનરલ મોહમ્મદ પાકપુરે, સત્તાવાર રીતે આ જાહેરાત કરી. તેમણે કહ્યું કે, બ્રિગેડિયર જનરલ માજિદ ખાદેમી હવે આઈઆરજીસી ગુપ્તચર સંગઠનનું નેતૃત્વ કરશે. ખાદેમી, અગાઉ આઈઆરજીસીના સુરક્ષા અને ગુપ્તચર સંગઠનના વડા તરીકે સેવા આપી ચૂક્યા છે.

તેહરાન ટાઈમ્સ અનુસાર, આઈઆરજીસીના કમાન્ડર-ઇન-ચીફ બ્રિગેડિયર જનરલ મોહમ્મદ પાકપુરે, બ્રિગેડિયર જનરલ માજિદ ખાદેમીને નવી જવાબદારી સોંપી છે. દરમિયાન, ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સી 'તસ્નીમ ન્યૂઝ' એ અહેવાલ આપ્યો છે કે, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ સાથે સંકળાયેલી ઇરાનની સત્તાવાર સમાચાર એજન્સી 'તસ્નીમ ન્યૂઝ' એ અહેવાલ આપ્યો છે કે, ઇસ્લામિક ક્રાંતિના નેતા આયતુલ્લાહ સૈયદ અલી ખામેનીએ, બ્રિગેડિયર જનરલ મોહમ્મદ કરમીને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ ગ્રાઉન્ડ ફોર્સના નવા કમાન્ડર તરીકે નિયુક્ત કર્યા છે. 19 જૂનના રોજ જારી કરાયેલા એક આદેશમાં, ઈરાની સશસ્ત્ર દળોના કમાન્ડર-ઇન-ચીફ આયાતુલ્લાહ ખામેનીએ મેજર જનરલ મોહમ્મદ પાકપુરના સ્થાને બ્રિગેડિયર જનરલ કરામીની નિમણૂક કરી. પાકપુરને, આઈઆરજીસી કમાન્ડર તરીકે બઢતી આપવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande