કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને, ‘વિશ્વ યોગ દિવસ’ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ જિલ્લામાં બે લાખથી વધુ લોકો યોગમાં જોડાશે
ગીર સોમનાથ 20 જૂન (હિ.સ.) માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧મી જૂનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણીના સંદર્ભમાં વેરાવળ પ્રાંત ઓફિસ ખાતે કલેક્ટર એન.વી
યોગ દિવસ’ની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ


ગીર સોમનાથ 20 જૂન (હિ.સ.) માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧મી જૂનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણીના સંદર્ભમાં વેરાવળ પ્રાંત ઓફિસ ખાતે કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં કલેક્ટરએ ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી નિમિત્તે વહીવટી તંત્ર દ્વારા યોગ દિવસની ઉજવણી સંદર્ભે તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓ વિશે ઈલેક્ટ્રોનિક, પ્રિન્ટ માધ્યમોના પત્રકારઓને અવગત કરાવ્યાં હતાં.

કલેક્ટરએ જણાવ્યું હતું કે, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું આ સ્થળ આઈકોનિક પ્લેસ છે. જેમાં ૨૧મી જૂનના રોજ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેનહિમાંજય પાલીવાલની પ્રેરક ઉપસ્થિતિમાં સોમનાથ મંદિર પરિસર પાસે ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવશે.

આ યોગ દિવસ નિમિત્તે શાળા-કોલેજો, આઇ.ટી.આઇ. વગેરે જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પેટા આરોગ્ય કેન્દ્રો, શાળાઓ-કોલેજો, સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગો, નાગરિકો, યોગસાધકો સહિત નાગરિકો ઉપસ્થિત રહેશે.

આંતરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૫ની જિલ્લા કક્ષાની ઉજવણીની સાથે તાલુકા કક્ષાએ પણ યોગ દિવસની ઉજવવામાં આવશે જિલ્લામાં તાલુકા મથકો પર અને નગરપાલિકા કક્ષાએ સમાંતર કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમોમાં ગુજરાત રાજ્ય યોગબોર્ડના માસ્ટર યોગ ટ્રેઇનરો યોગ અભ્યાસ કરાવશે. સમગ્ર જિલ્લામાંથી આશરે ૨ લાખ લોકો યોગાભ્યાસ કરશે એમ એમણે ઉમેર્યું હતું.

કલેક્ટરએ યોગ દિવસની મહત્તા વર્ણવતા જણાવ્યું કે, યોગને એક દિવસ માટે નહીં પરંતુ જીવનનો ભાગ બનાવવાથી શારીરિક માનસિક સ્થિતિ સંતુલિત થવા સાથે દૈનિક ક્રિયાઓમાં પણ સ્ફૂર્તિનો અહેસાસ થાય છે.

આંતરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૫ની થીમ 'એક પૃથ્વી-એક સ્વાસ્થ્ય માટે યોગ' છે. નિયમિત રીતે યોગને જીવનશૈલીનો ભાગ બનાવવાથી શારીરિક તંદુરસ્તી તો સુધરે જ છે, સાથે સાથે જ માનસિક તંદુરસ્તી પણ કેળવાય છે. આમ કહી કલેક્ટરએ ૧૧ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થવા જિલ્લાના નાગરિકોને અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમના પ્રારંભે વડનગર ખાતેથી યોજાનારા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ થશે. સમગ્ર જિલ્લામાં તાલુકા કક્ષાએ નગરપાલિકા ગાર્ડન કોડીનાર, કારડીયા રાજપુત સમાજની વાડી સુત્રાપાડા, લોહાણા મહાજનવંડી તાલાળા, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ તેમજ ઉના અને દ્રોણેશ્વર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે નાગરિકો યોગ અભ્યાસમાં સહભાગી થશે.

આ પ્રેસ કોન્ફરન્સવેળાએ જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, પ્રાંત અધિકારી વિનોદ જોશી, જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણા, યુવા પ્રાંત અધિકારી અશ્વિનભાઈ સોલંકી સહિત ઈલેક્ટ્રોનિક, પ્રિન્ટ માધ્યમોના પત્રકારઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande