પોરબંદર, 20 જૂન (હિ.સ.) : પોરબંદરમાં શીતલા ચોક વિસ્તારમાં આવેલા જાનકી મઠથી મચ્છી માર્કેટ સુધીના 200 મીટર સુધીના વિસ્તારમાં ગટરોના ગંદા પાણી ફેલાયેલા જોવા મળી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી આ વિસ્તારમાં પાણીની રેલમછેલ જોવા મળી રહી છેલોકોને પોતાની દુકાનની અંદર ગટરના ગંદા પાણીમાંથી થઇ ને પસાર થવું પડી રહ્યું છે. ચોમાસાના આગમન પહેલાથી આ વિસ્તારમાં ગટરોના ગંદા પાણી રસ્તાઓ પર ફેલાય રહ્યા છે. છતાં મનપાને આ વિસ્તારમાં સફાઈ કરવામાં આળસ આવી રહી છે.
ભગવાન શ્રીરામનું મંદિર કે જે જાનકી મઠ તરીકે જાણીતું છે. જાનકી મઠની સામે બ્રાન્ચ સ્કૂલ આવેલી છે તેમજ મચ્છી માર્કેટ કે જ્યાં લોકોની સતત અવર-જવર રહેતી હોય છે ત્યારે આ વિસ્તારના લોકોની માંગ છે કે મનપા દ્વારા ડ્રેનેજ ગટરોની સફાઈ જેટિંગ મશીન દ્વારા કરવામાં આવે તો જ ભૂગર્ભ ગટરના પાણીનો નિકાલ થઇ શકશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya