મોહબતપરાના ગીર ગુંજન વિધાલય ખાતે યોગ શિબિર યોજાઈ ૯૫૦ કરતા વધુ વિદ્યાર્થીઓએ યોગાભ્યાસ કર્યો
ગીર સોમનાથ 20 જૂન (હિ.સ.) ગાંધીનગર નિયામક આયુષની કચેરી અને જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા, ગીર સોમનાથ દ્વારા સંચાલિત અને જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. રસુલભાઈ.ડી.ઓઠા.ના માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિર બેડીયા અને જસાધાર તથા સનવાવ સરકારી આયુર્વેદ દવ
મહોબ્બત પરા ગામ ખાતે


ગીર સોમનાથ 20 જૂન (હિ.સ.) ગાંધીનગર નિયામક આયુષની કચેરી અને જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા, ગીર સોમનાથ દ્વારા સંચાલિત અને જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. રસુલભાઈ.ડી.ઓઠા.ના માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિર બેડીયા અને જસાધાર તથા સનવાવ સરકારી આયુર્વેદ દવાખાના અને ઉના સરકારી હોમીયોપેથી દવાખાના દ્વારા યોગ શિબિર યોજાઈ હતી.

‘વિશ્વ યોગ દિવસ- ૨૧ જૂન ૨૦૨૫ તેમજ સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ગીરગઢડા તાલુકાના મોહબતપરા ગામમાં ગીર ગુંજન વિધાલય ખાતે યોગ શિબિર યોજાઈ હતી.

આ યોગ શિબિરમાં અંદાજે ૯૫૦ કરતા વધુ વિદ્યાર્થીઓએ યોગાભ્યાસ કર્યા હતાં. આ દરમિયાન ઉકાળા અને આયુર્વેદ પ્રચાર પત્રિકાનું પણ વિતરણ કરાયું હતું.

આ યોગ શિબિરમાં તંદુરસ્તી પ્રત્યે જાગૃતિ આવે તે માટે વ્યાખ્યાન સત્ર યોજાયા હતાં તેમજ સ્વસ્થ દિનચર્યા, ઋતૂચર્યાનું માર્ગદર્શન, રસોડામાં જ રહેલા મસાલામાં ઔષધિ અને આપણી આસપાસ ઉપયોગી વનસ્પતિનું ઘરગથ્થુ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande