ગાંધીનગર, 20 જૂન (હિ.સ.) : હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ, ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે સૌજન્ય મુલાકાત કરી હતી.
આ બેઠક દરમિયાન મુખ્યમંત્રી સૈની અને રાજ્યપાલ વચ્ચે હરિયાણા અને ગુજરાતના સામાજિક, શૈક્ષણિક તેમજ કૃષિ ક્ષેત્રેના નવપ્રયોગો અંગે વિશદ ચર્ચા થઈ હતી.
બંને મહાનુભાવોએ પ્રાકૃતિક ખેતી, જળસંચય અને યુવાનોના કૌશલ્ય વિકાસ જેવા વિષયો પર વિચાર-વિમર્શ કરીને પરસ્પર અનુભવો શેર કર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ