ગીર સોમનાથ જિલ્લા વહિવટી તંત્ર, ગ્રામજનોના દ્વાર સુધી પહોંચીને તેમના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આવે તે દિશામાં કાર્યરત
ગીર સોમનાથ 21 જૂન (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લા વહિવટી તંત્ર ગ્રામગીર સોમનાથ જિલ્લા વહિવટી તંત્ર ગ્રામજનોના દ્વાર સુધી પહોંચી તેમના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આવે તે દિશામાં કાર્ય કરી રહ્યું છે. જે ઉપક્રમમાં જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને ગી
ગીર સોમનાથ રાત્રી શભા


ગીર સોમનાથ 21 જૂન (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લા વહિવટી તંત્ર ગ્રામગીર સોમનાથ જિલ્લા વહિવટી તંત્ર ગ્રામજનોના દ્વાર સુધી પહોંચી તેમના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આવે તે દિશામાં કાર્ય કરી રહ્યું છે. જે ઉપક્રમમાં જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને ગીરગઢડા તાલુકાના નગડિયા ગામે રાત્રીસભા યોજાઇ હતી.જનોના દ્વાર સુધી પહોંચી તેમના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આવે તે દિશામાં કાર્ય કરી રહ્યું છે. જે ઉપક્રમમાં જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને ગીરગઢડા તાલુકાના નગડિયા ગામે રાત્રીસભા યોજાઇ હતી.

આ રાત્રીસભામાં ગ્રામજનોએ એપ્રોચ રોડ બનાવવો, પૂર સંરક્ષણ દિવાલ, નગડિયા-સણોસરી રોડ, આંગણવાડી બનાવવા, સ્મશાનમાં માળખાગત સુવિધાઓ, ચેકડેમ, કૉમ્યુનિટી હોલ, એ.પી.એમ.સી. બનાવવા, વારસાઈને લગતી રજૂઆતો, પી.જી.વી.સી.એલ, આરોગ્યલક્ષી સહિતના વિવિધ પ્રશ્નો રજૂ કર્યાં હતાં.

કલેક્ટરએ રાત્રીસભામાં રજૂ થયેલા ગ્રામજનોના વિવિધ પ્રશ્નો અને રજૂઆતો ધ્યાનથી સાંભળી હતી અને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને તમામ પ્રશ્નોનું સુનિયોજીત રીતે નિરાકરણ લાવવા માર્ગદર્શન આપ્યું હતું.

કલેક્ટરએ જણાવ્યું હતું કે, ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ અને પ્રશ્નોની રજૂઆતો પર પૂરતું ધ્યાન આપી તેનું હકારાત્મક નિરાકરણ આવે તે દિશામાં જિલ્લા વહીવટી તંત્ર કાર્ય કરી રહ્યું છે. ગ્રામજનો પણ સંકલન રાખીને ગામનો વિકાસ થાય તે દિશામાં કાર્ય માટે તંત્રને સહયોગ આપે તે ઈચ્છનીય છે.

કલેક્ટરશ્રીએ નગડિયા ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી સમરસ ગ્રામ પંચાયત બને એમાં ખાસ કરીને મહિલા સમરસ પંચાયત છે તેમજ છેલ્લા ઘણાં વર્ષોથી ગામમાં એકપણ ગુનો નોંધાયેલો નથી એથી પાવન ગામ પણ છે. એ જાણી ગામની સમરસતા અને સૌહાર્દના વખાણ કર્યા હતાં.

નાયબ વન સંરક્ષક વિકાસ યાદવે જંગલ વિસ્તારના અવેડા અને પાણીની રજૂઆત તેમજ ખેડૂતોને લગતા વારસાઈના પ્રશ્નો બાબતે હકારાત્મક અભિગમ દાખવી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવાની હૈયાધારણા આપી હતી.

ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, નગડિયા ગામ સમરસતાના માપદંડોને અનુસરી આગળ વધી રહ્યું છે. આમ કહી ધારાસભ્યએ કલેક્ટર અને વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોના રજૂ કરાયેલા પ્રશ્નો પરત્વે હકારાત્મક વલણને બીરદાવ્યું હતું.

આ રાત્રીસભામાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી કે.આર.પરમાર, ડી.વાય.એસ.પી ચૌધરી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ડાહ્યાભાઈ જાલોંધ્રા, સરપંચ ભારતીબહેન બલદાણિયા સહિત આરોગ્ય, શિક્ષણ, આંગણવાડી, માર્ગ અને મકાન વિભાગ, પી.જી.વી.સી.એલ સહિત જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande