ગીર સોમનાથ, 22 જૂન (હિ.સ.) જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક બાદ કલેક્ટર એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં લો એન્ડ ઓર્ડર, પ્રવાસન સમિતિ, જિલ્લા માર્ગ સલામતિ અંગેની મેરેથોન બેઠક યોજાઈ હતી.
કલેક્ટરએ પ્રવાસન સમિતિની બેઠકમાં તાલાલા તાલુકામાં રામદેવપીર મંદિરમાં સહાય અંગે, પ્રાચી ખાતે રિવરલાઈનિંગ અને અન્ય કામ, સોમનાથ મંદિર ખાતે વીર હમીરજી ગોહિલની પ્રતિમાની બાજુમાં વીગ વેગડાભીલની પ્રતિમા મૂકવા બાબત સહિત પ્રવાસન ક્ષેત્રે કરવામાં આવનાર વિવિધ કામો વિશે ચર્ચા કરી હતી.
જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠકમાં આર.ટી.ઓ અધિકારી ગોહિલ દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિગતવાર જિલ્લામાં થયેલા અકસ્માતો અંગે માહિતી આપવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ દસ્તાવેજી કરણ અને સંયુક્ત તપાસ અહેવાલ સુનિશ્ચિત કરવા ઉપસ્થિત સર્વેને દિશાનિર્દેશ આપ્યા હતા.
કલેક્ટરએ લો એન્ડ ઓર્ડર અંતર્ગત સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે અંગે સુનિશ્ચિત વ્યવસ્થા જાળવવા સૂચનો આપ્યાં હતાં.
આ બેઠકમાં જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, સર્વે પ્રાંત અધિકારી વિનોદ જોશી, કે.આર.પરમાર સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ