પોરબંદર, 22 જૂન (હિ.સ.) : પોરબંદરમાં ચોમાસુ શરૂ થઈ ગયું છે, ત્યારે લોકોને બિમારીથી બચાવવા માટે હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહત્વના સુચનો કરવામાં આવ્યા છે. પોરબંદર હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે, વરસાદની મોસમએ ઠંડી હવા અને પર્યાવરણની શુદ્ધતા લાવે છે, પરંતુ સાથે સાથે તે અનેક બિમારીઓનું કારણ પણ બને છે. આર્દ્રતા, પાણી ભરાવો અને ગંદકીના કારણે વિવિધ સંક્રમક રોગો ઝડપથી ફેલાય છે.
વરસાદી મોસમમાં મેંલેરિયા, ડેન્ગ્યુ, વાઇરલ ફીવર, ટાઈફોઈડ, ચામડીના રોગ, ડાયરિયા, ફુડ પોઇઝનિંગ, ઉલટી જેવા પાચનતંત્રને લગતા રોગો થાય છે. વધુમાં રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે, હાથ ધોવાની ટેવ વિકસાવો, ખાસ કરીને ખોરાક ખાવા પહેલાં અને શૌચ કર્યા પછી, ઘર અને આસપાસની સફાઈ રાખો, ખાસ કરીને ઘર આસપાસ પાણીના ખાબોચિયા ન ભરાવા દો, બિનજરૂરી પાણીનો સંગ્રહ કરી ખુલ્લું ન રાખો,ફુગ લાગતા સ્થળો બાથરૂમ, રસોડાને સાફ અને શુષ્ક રાખો, પાણી ઉકાળીને પીઓ અથવા ફિલ્ટર/આર.ઓ.નો ઉપયોગ કરો, બહારનું ખુલ્લું પાણી પીવાથી બચો, શક્ય હોય તો મિનરલ વોટર બોટલનો ઉપયોગ કરો. ઘરમાં અને આસપાસ પાણી જમા ન થાય તેની ખાત્રી કરો (ટાયર, ગમલા, ડ્રેનમાં પાણી ન જમા થાય), મચ્છરદાનીનો ઉપયોગ કરો અથવા મોસ્કિટો રિપેલન્ટ ક્રીમ/સ્પ્રે લગાવો. ગાઢ રંગના કપડાં પહેરો (મચ્છરો હલકા રંગ તરફ આકર્ષાય છે). ફળો અને શાકભાજીને સારી રીતે ધોઈને જ વાપરો, બહારનો ખુલ્લો ખોરાક (ખાસ કરીને સ્ટ્રીટ ફુડ) ખાવાથી બચો. તાજા અને ગરમ ખોરાકનો સેવન કરો. વિટામિન-સી યુક્ત ફળો (નારંગી, મોસંબી, આંબલા) ખાવા, હળદર, આદુ, લસણ જેવી પ્રતિરોધક ઘટકો ખોરાકમાં ઉમેરો, પુરતો આરામ અને ઊંઘ લો,ભીના કપડાં પહેરવાથી બચો, નહીતર ફુગ લાગી શકે છે. વરસાદમાં ભીંજાયા પછી તરત સુકા કપડાં પહેરો, એન્ટિફંગલ પાવડર અથવા ક્રીમનો ઉપયોગ કરો. પુરતા પ્રમાણમાં પાણી અને ઈલેક્ટ્રોલાષ્ટ યુક્ત પેય પીઓ (ઓ.આર.એસ, નારિયેળ પાણી).વરસાદી મોસમનો આનંદ લેવા માટે સાવચેતી અને સ્વચ્છતા જરૂરી છે.
ઉપરોક્ત સુચનોને અનુસરીને તમે મોસમી રોગોથી સુરક્ષિત રહી શકો છો.સ્વસ્થ રહો, સુરક્ષિત રહો તેમ રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યુ હતુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya