ગૃહમંત્રી અમિત શાહ, આજથી છત્તીસગઢના બે દિવસના પ્રવાસે
રાયપુર, નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 અને 23 જૂનના રોજ બે દિવસના પ્રવાસે, છત્તીસગઢ આવી રહ્યા છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ, અમિત શાહ આજે બપોરે 1.45 વાગ્યે રાયપુર પહોંચશે. માના એરપોર
શાહ


રાયપુર, નવી દિલ્હી, 22 જૂન (હિ.સ.)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 અને 23 જૂનના રોજ બે દિવસના પ્રવાસે, છત્તીસગઢ આવી રહ્યા છે.

નિર્ધારિત કાર્યક્રમ મુજબ,

અમિત શાહ આજે

બપોરે 1.45 વાગ્યે રાયપુર

પહોંચશે. માના એરપોર્ટથી,

તેઓ સીધા નવા

રાયપુર અટલ નગરમાં આવેલ બંજરી સેક્ટર-2 જશે.જ્યાં તેઓ

રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (એનએફએસયુ) ના રાયપુર કેમ્પસના શિલાન્યાસ કાર્યક્રમમાં

હાજરી આપશે.

આ યુનિવર્સિટી ગુજરાતમાં, ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી

રહી છે, જે ફોરેન્સિક

સાયન્સ, ગુનાશાસ્ત્ર, તપાસ સંશોધન અને

ફોરેન્સિક મનોવિજ્ઞાન જેવા વિશિષ્ટ ક્ષેત્રોમાં શિક્ષણ અને તાલીમ પૂરી પાડે છે. આ

વૈજ્ઞાનિક તપાસના ક્ષેત્રમાં છત્તીસગઢને મોટી સુવિધા પૂરી પાડશે.

આ પછી, અમિત શાહ નક્સલવાદી કાર્યવાહીની રણનીતિ અંગે છત્તીસગઢ અને

પડોશી રાજ્યોના ડીજીપી અને એડીજીપી સાથે નવા રાયપુરમાં એક મહત્વપૂર્ણ બેઠક કરશે.

મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈ પણ આ બેઠકમાં હાજરી આપશે. રાજ્ય સરકારની નવી રણનીતિઓ

અને શરણાગતિ અને પુનર્વસન નીતિ પર ચર્ચા થવાની શક્યતા છે.

અમિત શાહ રાયપુરમાં, રાત્રિ રોકાણ કરશે અને બીજા દિવસે 23 જૂને તેઓ

બસ્તરના નારાયણપુર (અબુઝમાડ) વિસ્તારના સુરક્ષા દળો અને ગ્રામજનો સાથે ચર્ચા કરશે.

ત્યારબાદ તેઓ સાંજે 4:30 વાગ્યે દિલ્હી

જવા રવાના થશે.

હિન્દુસ્થાન સમાચાર / ગજેન્દ્ર પ્રસાદ પટેલ / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande