મુર્શિદાબાદમાં ડમ્પર સાથે ટ્રેક્ટર અથડાયુ, પાંચ લોકોના મોત, 14 ઘાયલ
મુર્શિદાબાદ, નવી દિલ્હી,22 જૂન (હિ.સ.) જિલ્લાના કાંદી પોલીસ સ્ટેશન હેઠળના મથુરા મોડ નજીક રવિવારે સવારે બહેરામપુર-કાંદી રાજ્ય માર્ગ પર, થયેલા માર્ગ અકસ્માતમાં ચાર મહિલાઓ સહિત પાંચ લોકોના મોત થયા છે જ્યારે 14 લોકો ઘાયલ થયા
માર્ગ


મુર્શિદાબાદ, નવી દિલ્હી,22 જૂન (હિ.સ.)

જિલ્લાના કાંદી પોલીસ સ્ટેશન હેઠળના મથુરા મોડ નજીક રવિવારે સવારે બહેરામપુર-કાંદી

રાજ્ય માર્ગ પર, થયેલા માર્ગ અકસ્માતમાં ચાર મહિલાઓ સહિત પાંચ લોકોના મોત થયા છે

જ્યારે 14 લોકો ઘાયલ થયા

છે. ઘાયલોને મુર્શિદાબાદ મેડિકલ કોલેજ હોસ્પિટલ અને કાંદી સરકારી હોસ્પિટલમાં

સારવાર આપવામાં આવી રહી છે. તેમાંથી કેટલાકની હાલત ખૂબ જ નાજુક હોવાનું કહેવાય છે.

ડોક્ટરોને ડર છે કે, મૃત્યુઆંક વધુ વધી શકે છે.

પોલીસના જણાવ્યા અનુસાર,”બીરભૂમ જિલ્લામાં સ્થિત એક મંદિરમાં પૂજા કરીને 20 શ્રદ્ધાળુઓનું

એક જૂથ, ટ્રેક્ટર દ્વારા પરત ફરી રહ્યું હતું. રવિવારે સવારે 11 વાગ્યાની આસપાસ

મથુરા મોડ નજીક, ટ્રેક્ટર રસ્તાની

બાજુમાં પાર્ક કરેલા ડમ્પર સાથે અથડાયું. ટ્રેક્ટર ઘટનાસ્થળે જ પલટી ગયું. આ

ઘટનામાં ડ્રાઇવર સહિત પાંચ લોકોના મોત થયા છે, જ્યારે 14 લોકો ઘાયલ થયા

છે.”

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, “મૃતકોમાં બેનુ

રાની સરકાર (45), શંભુ સરકાર (40) અને લલિતા સરકાર

(50)નો સમાવેશ થાય

છે. અન્ય બે લોકોની ઓળખ હજુ સુધી થઈ નથી. મૃતકો અને ઘાયલો, મુર્શિદાબાદના

હરિહરપાડા પોલીસ સ્ટેશનના રુકુનપુર વિસ્તારના છે. અકસ્માતના સમાચાર, પીડિતોના

પરિવારોને મોકલવામાં આવ્યા છે. આ અકસ્માતને કારણે રાજ્ય ધોરીમાર્ગ પર થોડા સમય

માટે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. જોકે, પોલીસે, પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. ઘણી મહેનત બાદ જામ

હળવો થયો અને રાજ્ય ધોરીમાર્ગ પર વાહનવ્યવહાર સામાન્ય થયો.”

હિન્દુસ્થાન સમાચાર / ધનંજય પાંડે / ગંગા / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande