પોરબંદર, 22 જૂન (હિ.સ.)પરંપરા મુજબ સમસ્ત ખારવા જ્ઞાતિ પોરબંદરની સમાજના પ્રમુખ વાણોતર તથા પંચ પટેલ સ્ત્રીઓની નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં સતત પાંચમાં વર્ષે નવ જવાન અને સેવાના ભાવથી તરવતા યુવા અને સમાજના કામ માટે સમર્પિત એવા પવનભાઈ જીવાભાઇ શિયાળની ફરી વાણોટ તરીકેની સેવા માટે નિયુક્તિ થયેલ છે. આ સાથે અશ્વિનભાઈ જુંગી તેમજ અન્ય પટેલની જુદી જુદી સેવા માટે નિયુક્તિ થયેલ ત્યારે આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય, મંત્રી કાંતિભાઈ જુંગીવાલા તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પોરબંદરના કો-ઓર્ડીનેટર, યોગાસન
સ્પોર્ટ્સ એસોસિએશનના કો-ઓર્ડીનેટર, કરાટેડો એસોસિએશનના પ્રેસિડેન્ટ, ટેક્વોન્ડો એસોસિએશન, એક્સ્ટ્રીમ ફિટનેસ કેર, એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ એન્ડ ફિટનેસ એકેડમી પ્રેસિડેન્ટ ,વાઇસ પ્રેસિડેન્ટ, સેક્રેટરી કેતન કોટિયા, સુરજ મસાણી, મહેશ મોતીવરસ, સુનિલ ડાકી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ ઉર્મિષાબેન પાંજરી ,યોગ ટ્રેનરો ઉષાબેન શિયાળ, મનિષાબેન લોઢારી, ઉષાબેન શિયાળ, ઉષાબેન વાંદરીયા, ઉષાબેન મોતીવરસ, ભાવનાબેન બાદરશાહી ,હેબીતભાઈ મલિક, જીવનભાઈ ગોહેલ, મોહિતભાઈ મઢવી ,ચિરાગભાઈ પાંજરી, યશ કોટિયા , કાર્તિક માલમ , હની
મોતીવરસ ,ધ્વનિ સેલેટ , કૃષ્ણાબેન ટોડરમલ, ઈશાન કાણાકીયા વગેરે દ્વારા સન્માન કરી આગામી ખારવા સમાજ
તેમજ પોરબંદરમાં વિવિધ સેવા કાર્ય માં અગ્રેસર રહી શ્રેષ્ઠ સેવા આપી શકે તે માટે શુભેચ્છા પાઠવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya