વરસાદી પાણીના નિકાલની ગટરોમાંથી કચરાનો કરાયો નિકાલ
પોરબંદર, 22 જૂન (હિ.સ.) : પોરબંદર શહેરી વિસ્તારમાં ચોમાસાની સીઝનની શરૂઆત થઇ ગઈ છે. શહેરી વિસ્તારમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. પરંતુ વરસાદી પાણી નિકાલની ડ્રેનેજ ગટરોમાંથી પાણીનો નિકાલ
વરસાદી પાણીના નિકાલની ગટરોમાંથી કચરાનો કરાયો નિકાલ


વરસાદી પાણીના નિકાલની ગટરોમાંથી કચરાનો કરાયો નિકાલ


વરસાદી પાણીના નિકાલની ગટરોમાંથી કચરાનો કરાયો નિકાલ


પોરબંદર, 22 જૂન (હિ.સ.) : પોરબંદર શહેરી વિસ્તારમાં ચોમાસાની સીઝનની શરૂઆત થઇ ગઈ છે. શહેરી વિસ્તારમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. પરંતુ વરસાદી પાણી નિકાલની ડ્રેનેજ ગટરોમાંથી પાણીનો નિકાલ ન થતા ઘણા વિસ્તારમાં લોકોને મુશ્કેલી થઇ રહી છે. ત્યારે પોરબંદર મનપાના

કર્મચારીઓ દ્વારા પોસ મોન્સૂન કામગીરી શરુ કરવામાં આવી છે.

જેમાં વરસાદએ વિરામ લીધા બાદ ડ્રેનેજ ગટરોમાં ફસાયેલ પાંદડા, પ્લાસ્ટિકના કચરા, માટી સહિતનો કચરાની સફાઈ કરવામાં આવી રહી છે જેથી સ્ટોર્મ વોટર ડ્રેનેજ ગટરોમાંથી વરસાદી પાણીનો નિકાલ સરળતાથી થઇ શકે જેથી આ કામગીરી મનપા દ્વારા એમ.જી. રોડ, યુગાન્ડા રોડ, એસ.વી.પી. રોડ, વાડિયા રોડ, બોખીરા તેમજ ખાપટ સહિતના વિસ્તારમાં કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande