અંબાજી,23જુન
(હિ. સ)ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગર્ભવતી મહિલાઓ માટે જાહેર કરાયેલ સહાય
યોજના બનાસકાંઠા જિલ્લાના આદિવાસી વિસ્તાર એવા દાંતા તાલુકામાં આશીર્વાદ શરૂ સાબિત
થઈ છે
ગર્ભવસ્થા ના સમય ગાળામાં અને બાળક
જન્મે ત્યાં સુધીના ખર્ચ માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 12 હજાર સુધીની નાણાકીય સહાય ખાસ કરીને અનુસૂચિત અને જનજાતિને
આપવામાં આવે છે જેનો દાંતા તાલુકામાં અત્યાર સુધીમાં લગભગ 2500 જેટલી મહિલાઓએ, આ યોજનાનો લાભ લીધો હોવાનું ડો. કિરણ ગમાર
તાલુકા આરોગ્ય અધિકારી, દાંતાએ જણાવ્યું હતું આ યોજના માત્ર ગુજરાત પૂર્તિ
સીમિત છે .જે સહાય રૂપે રકમ ચાર હપ્તામાં ચૂકવવામાં આવે છે જેમાં પ્રથમ જ્યારે
ગર્ભસ્થાનીપુષ્ટિ થાય ત્યારે, બીજો હપ્તો સાત માસ થાય ત્યારે, ત્રીજો હપ્તો મહિલાને ડીલેવરી થાય ત્યારેઅને છેલ્લો અને ચોથો હપ્તો બાળકના જન્મ બાદ
રસીકરણ કરાવવાની શરૂઆત થાય ત્યારે આપવામાં આવે છે આમ કુલ રૂપિયા 12000 ની રકમ ચૂકવવામાં આવે છે જે ખાસ કરીને બાળ મૃત્યુદર અને
માતૃ મૃત્યુ દર ઘટાડવાના આશયથી સરકારે આ યોજના લાગુ કર્યું હોવાનું ડો. કેના પટેલ
ગાયનેક, સીએસસી હોસ્પિટલ, દાંતા એ જણાવવામાં આવ્યું છે.
આ યોજના હેઠળ દાંતા તાલુકામાં 2500 જેટલી મહિલાઓએ આ યોજનાનો લાભ લીધો છે અને દાંતાની એકમાત્ર
રેફરલ હોસ્પિટલમાં મહિનાની 40 થી 45 પ્રસુતિઓ કરાવવામાં આવે છે આ યોજના માં અપાતા નાણા જેને
લઈને લાભાર્થીઓ પણ આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે ને મળતી સહાયથી મહિલા પૂરતા
પ્રમાણમાં પોષણક્ષમ આહાર મેળવી શકે છે ને તેના કારણે બાળક કુપોષિત થતો નથી અને
માતા અને બાળક બંને સ્વસ્થ રહેતા હોવાનું લાભાર્થી જણાવી રહ્યા છે દાંતાતાલુકા મહત્તમ આદિવાસી વિસ્તાર છે જેમાં 186 જેટલા ગામો આવેલા છે ત્યારે દાંતા તાલુકામાં મહત્તમ અંબાજી
દાતા હડાદ અને માકડી જેવા સેન્ટર ઉપર આ મહિલાઓ વધુમાં વધુ લાભ લઇ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ