પોરબંદરમાં આવતી કાલે સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરાશે
પોરબંદર, 24 જૂન (હિ.સ.) : પોરબંદર શહેરમાં તા. 25 જૂન,2025ના રોજ સવારે 10 કલાકે બિરલાહોલ ખાતે “સંવિધાન હત્યા દિવસ”ની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ પોરબંદરના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે. આ સંદર્ભે પોરબંદર મહાનગરપાલિ
પોરબંદરમાં આવતી કાલે સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરાશે.


પોરબંદરમાં આવતી કાલે સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરાશે.


પોરબંદરમાં આવતી કાલે સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરાશે.


પોરબંદર, 24 જૂન (હિ.સ.) : પોરબંદર શહેરમાં તા. 25 જૂન,2025ના રોજ સવારે 10 કલાકે બિરલાહોલ ખાતે “સંવિધાન હત્યા દિવસ”ની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ પોરબંદરના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે. આ સંદર્ભે પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિની અધ્યક્ષતામાં કાર્યક્રમની પૂર્વસમીક્ષા અને તૈયારી માટે બેઠક યોજવામાં આવી હતી.

પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિએ બેઠક દરમિયાન કાર્યક્રમની વ્યાપક તૈયારીઓ વિષે સમીક્ષા કરી હતી અને સંલગ્ન વિભાગોને સ્ટેજ વ્યવસ્થા, ટુ-વે કનેક્ટિવિટી, મહેમાનોના ઉદ્બોધન, બેઠક વ્યવસ્થા તેમજ સમારંભની તમામ રચનાત્મક વિગતો અંગે જરૂરી સુચનાઓ આપી હતી.આ કાર્યક્રમ રાજ્ય સરકાર દ્વારા કટોકટીના 50 વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે યોજાઇ રહ્યો છે. રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ ગાંધીનગરના ટાઉનહોલ ખાતે માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાવાનો છે. આ ઉપરાંત રાજ્યના 16 જિલ્લાઓ અને 16 મહાનગરપાલિકાઓમાં પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે અને સંવિધાન હત્યા દિવસની ઉજવણી અંતર્ગત કટોકટી અંગે ફિલ્મ પ્રસારણ

ઉલ્લેખનીય છે કેજિલ્લાની વિવિધ સ્કુલોમાં નિબંધ સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓમાં લોકશાહી અને સામાજિક જાગૃતિ અંગે સંવેદના વિકસે.આ બેઠકમાં પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી,પોરબંદર નગરપાલિકાના નાયબ કમિશનર હર્ષ પટેલ, નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી,મામલતદાર બી.વી સંચાણીયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી પરબતભાઈ હાથલિયા,પોલીસ, માય યુવા ભારત અને અગ્રણી અશોક મોઢા, રામદેવભાઈ મોઢવાડીયા, કેતનભાઈ દાણી, ધર્મેશ પરમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande