સરથાણાની આદર્શ નિવાસી શાળામાં પાણી ભરાતા વહીવટીતંત્ર દ્વારા 102 અસરગ્રસ્તોને રેસ્કયુ કરી સલામત સ્થળે ખસેડાયા
સુરત, 24 જૂન (હિ.સ.)- સુરત શહેર-જિલ્લામાં મેઘરાજા અવિરત વરસી રહ્યા છે, ત્યારે આજ રોજ સુરતના પુણા વિસ્તારના સરથાણા જકાતનાકા ખાતે આવેલી આદર્શ નિવાસી શાળા (હોસ્ટેલ સાથેની સ્કુલ)માં વહેલી સવારે પાણી ભરાતા તત્કાલ સુરત મહાનગર પાલિકાની ફાયર વિભાગ ટીમ દ્વ
સરથાણાની આદર્શ નિવાસી શાળામાં પાણી ભરાતા વહીવટીતંત્ર દ્વારા 102 અસરગ્રસ્તોને રેસ્કયુ કરી સલામત સ્થળે ખસેડાયા


સુરત, 24 જૂન (હિ.સ.)- સુરત શહેર-જિલ્લામાં મેઘરાજા અવિરત વરસી રહ્યા છે, ત્યારે

આજ રોજ સુરતના પુણા વિસ્તારના સરથાણા જકાતનાકા ખાતે આવેલી આદર્શ નિવાસી

શાળા (હોસ્ટેલ સાથેની સ્કુલ)માં વહેલી સવારે પાણી ભરાતા તત્કાલ સુરત મહાનગર

પાલિકાની ફાયર વિભાગ ટીમ દ્વારા બોટની મદદથી 87 વિદ્યાર્થીઓ અને 15 સ્ટાફગણ મળીને

કુલ 102 અસરગ્રસ્તોને સલામત રીતે રેસ્કયુ કરાયા હતા. તેઓને સરથાણા ગામની શાળામાં

સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande