જિલ્લામાં ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇન દ્વારા, પાંચ વર્ષમાં ૧,૯૩,૭૦૯ પશુ-પક્ષીઓની સારવાર કરાઈ
ગીર સોમનાથ, 24 જૂન (હિ.સ.) અબોલ અને બિનવારસી પશુ-પક્ષીઓને સ્થળ પર સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ૧૯૬૨ હેલ્પલાઇન એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરવામાં આવી છે. જે તમામ જિલ્લામાં બિનવારસી અને બિમાર પશુ-પક્ષીઓને સારવાર આપવામાં આવે છે. GVK EMRI ગ
પશુ-પક્ષીઓની સારવાર કરાઈ


ગીર સોમનાથ, 24 જૂન (હિ.સ.) અબોલ અને બિનવારસી પશુ-પક્ષીઓને સ્થળ પર સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ૧૯૬૨ હેલ્પલાઇન એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરવામાં આવી છે. જે તમામ જિલ્લામાં બિનવારસી અને બિમાર પશુ-પક્ષીઓને સારવાર આપવામાં આવે છે.

GVK EMRI ગ્રીન હેલ્થ સર્વિસના પ્રોગ્રામ મેનેજર ડો.પ્રજ્ઞેશભાઇ દ્વારા જણાવાયું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં રાજ્ય સરકાર અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત પ્રયાસથી ૧૯૬૨-એનિમલ હેલ્પલાઇન સેવા ચલાવવામાં આવે છે. આ સેવા હેઠળ જૂન ૨૦૨૦થી જૂન ૨૦૨૫ સુધીમાં ગીર સોમનાથ જિલ્લામાં ૧,૯૩,૭૦૯ બિમાર પશુ-પક્ષીઓની સારવાર કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં ૧૫ મોબાઈલ વેટરનરી યુનિટ્સ કાર્યરત છે. દરેક મોબાઇલ યુનિટમાં એક વેટરનરી ઓફિસર અને એક પાયલોટ કમ ડ્રેસર હાજર હોય છે. આ યુનિટ્સ તમામ જરૂરી દવાઓ અને સાધનોથી સજ્જ છે. નિર્ધારિત રૂટ અને ઇમરજન્સી કેસ મુજબ સારવાર આપવામાં આવે છે.

જિલ્લામાં એક કરુણા એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ છે, જે પણ બિનવારસી પશુ-પક્ષીઓની સારવાર કરે છે. કરુણા એમ્બ્યુલન્સ સવારે ૮થી રાત્રે ૮ વાગ્યા સુધી અને મોબાઇલ વેટરનરી યુનિટ્સ સવારે ૮થી સાંજના ૫ વાગ્યા સુધી સેવા આપે છે.

કોઈપણ ઇજાગ્રસ્ત કે બીમાર પશુ-પક્ષી માટે ૧૯૬૨ નંબર પર સંપર્ક કરી શકાય છે. તેમ જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર મનોજ ચૌહાણે લોકોને આ સેવાનો લાભ લેવા અપીલ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande